જામનગરમાં આવતીકાલે 06 સપ્ટેમ્બરના રોજગાર ભરતીમેળો યોજાશે 

  • September 05, 2024 06:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર આવતીકાલે તા.06 સપ્ટેમ્બરના રોજગાર ભરતીમેળો યોજાશે 

જિલ્લા રોજગાર કચેરી, એસ.ટી.ડેપો સામે, જામનગર ખાતે આવતીકાલે તારીખ 06 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 કલાકે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ ઉપસ્થિત રહેશે. 

તેમજ આ રોજગાર ભરતી મેળામાં સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતી મેળામાં 18 વર્ષથી 35 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર સમયસર ઉપસ્થિત રહેવું. તેમ જિલ્લા રોજગાર કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર, જામનગર દ્વારા જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application