જામનગરની યુવતિને દહેજ ભુખ્યા સાસરીયાનો સિતમ
સતાપરમાં રહેતા પતિ, સાસુ-સસરા સામે રાવ
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી યુવતિેન દહેજ ભુખ્યા સાસરીયાઓએ દુ:ખ ત્રાસ આપતા મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે જયા તેણી દ્વારા પતિ અને સાસુ, સસરા સામે ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ રામનગર શેરી નં. ૧માં હાલ રહેતી જાગૃતીબેન જીજ્ઞેશભાઇ ભારદીયા (ઉ.વ.૩૪) નામની પરણીતાને આરોપીઓ પતિ, સાસુ, સસરા લગ્નજીવન દરમ્યાન નાની નાની બાબતોમાં ઝઘડા કરી શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપતા હતા તેણી સાથે અવાર નવાર ઝઘડો કરીને તેમજ મારકુટ કરી ફરીયાદીના માવતર પાસે અવાર નવાર પૈસાની માંગણી કરી એકબીજાને મદદગારી કરી હતી.
દરમ્યાનમાં જાગૃતીબેન દ્વારા આ બનાવ અંગે ગઇકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં કલ્યાણપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા પતિ જીજ્ઞેશ મનસુખ ભારદીયા, સસરા મનસુખ ગોરધન ભારદીયા અને સાસુ વિજયાબેન ભારદીયાની સામે બીએનએસ ૨૦૨૩ની કલમ તથા દહેજ પ્રતિબંધીત ધારા મુજબ ફરીયાદ નોંધાવી હતી.