ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્રારા પીએમ પોષણ (મધ્યાન ભોજન યોજના)ના ૧૧ માસના કરાર આધારિત સુપરવાઈઝરોના વેતનમાં મહિને . ૧૦,૦૦૦ નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે અને તેની અમલવારી ચાલુ મહિનાથી જ કરવા સૂચના આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગના સેકશન ઓફિસર આર.જે.ચૌધરી દ્રારા આ સંદર્ભે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ પીએમ પોષણ મધ્યાન ભોજન યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા ૧૧ મહિનાના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરોનું માસિક વેતન ૧૫,૦૦૦ હતું તે વધારીને ૨૫,૦૦૦ કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા આ પરિપત્રની અમલવારી ઓકટોબર ૨૦૨૪ કે જેનો પગાર નવેમ્બરમાં મળવાનો છે ત્યારથી કરવા માટે સૂચના આપવામાં આવી છે.
કોન્ટ્રાકટ આધારિત અન્ય કર્મચારીઓના પગારમાં વધારો કરાયા પછી મધ્યાન ભોજન યોજનાના સુપરવાઈઝરોના પગારમાં પણ વધારો કરવાની વ્યાપક માગણીઓ ઊઠવા પામી હતી. શિક્ષણ વિભાગે ડિસેમ્બર ૨૦૧૩ થી આવી કરાર આધારિત ભરતી કરી હતી. ત્યાર પછી ઓકટોબર ૨૦૧૬ માં અને છેલ્લે સપ્ટેમ્બર ૨૦૨૧ માં પણ આ સંદર્ભે ઠરાવ કરવામાં દરખાસ્ત કરવામાં આવી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પીએમ પોષણ યોજનાની કચેરી દ્રારા આ નિર્ણય લેવાયો છે. શિક્ષણ વિભાગે ડિસેમ્બર ૨૦૧૩ માં તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર અને કેળવણી નિરીક્ષકની ખાલી પડેલી જગ્યા સામે મધ્યાન ભોજન યોજનાના સુપરવાઈઝરોની ૩૧૦ જગ્યાઓ ૧૧ મહિનાના કરાર આધારિત ભરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી અને આ વખતે તેનો પગાર . ૧૫,૦૦૦ નક્કી કરવામાં આવ્યો હતો. વર્ષેા સુધી ૧૫૦૦૦ પિયાના માસિક પગારમાં કામ કર્યા પછી તારીખ ૨૪ જૂન ૨૦૨૪ ના રોજ પીએમ પોષણ યોજનાની કચેરી દ્રારા સુપરવાઇઝરોના પગારમાં વધારા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી અને સરકારે તે માન્ય રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech