ગોકુલનગરમાં ડ્રાયફ્રુટના શોખીન તસ્કરોએ દુકાનને નિશાન બનાવી

  • February 27, 2023 11:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જામનગરમાં ડ્રાયફ્રુટના શોખીન તસ્કરોએ એક અનાજ કરિયાણાની દુકાન ને નિશાન બનાવી છે, અને દુકાનમાંથી ૧૦,૦૦૦ ની રોકડ રકમ અને રૂપિયા ૫,૨૦૦ ની કિંમતના કાજુ- બદામ ચોરી કરી ગયા નું પોલીસમાં જાહેર થયું છે.


 જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને રડાર રોડ પર આદેશ હનુમાન મંદિર ની સામે બારાડી ટ્રેડર્સ નામની અનાજ કરિયાણાની દુકાન ચલાવતા વેપારી કલાભાઈ શામજીભાઈ નકુમે પોતાની દુકાનમાંથી કોઈ તસ્કરો ૧૦,૦૦૦ની રોકડ રકમ અને રૂપિયા ૫,૨૦૦ ની કિંમતના કાજુ- બદામની ચોરી કરી લઈ ગયાનું પોલીસમાં જાહેર કર્યું છે.


 જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, અને સીસીટીવી કેમેરાઓની મદદથી તસ્કરોને પકડવા માટેની દોડધામ શરૂ કરી છે. દુકાનમાં અન્ય સામગ્રી પણ હતી, પરંતુ ડ્રાયફ્રુટના શોખીન તસ્કરો માત્ર કાજુ બદામ ચોરી કરીને નાશી છુટયા હતા, ફરીયાદના આધારે આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application