ઈસરો માટે મહત્વનો દિવસ,ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં આજે કરશે પ્રવેશ

  • August 05, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય અવકાશ એજન્સી ISRO માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. ચંદ્રયાન-3 આજે સાંજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.


આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ લોન્ચ થયા બાદ ચંદ્રના લગભગ બે તૃતીયાંશ અંતરને કવર કરી ચૂક્યું છે. તેના પ્રક્ષેપણથી ચંદ્રયાન-3ને ભ્રમણકક્ષા વધારવાની કામગીરીમાં પાંચ વખત સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે.


1 ઓગસ્ટના રોજ અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષાથી ચંદ્ર તરફ ઉપાડવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને વાહનને ટ્રાન્સલુનર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું. ઈસરોના જણાવ્યા અનુસાર  આજે અન્ય એક મહત્વપૂર્ણ પ્રયાસમાં  અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.


રાષ્ટ્રીય અવકાશ એજન્સી ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશયાન દાખલ કરવાની પ્રક્રિયા 5 ઓગસ્ટ એટલે આજ રોજ સાંજે લગભગ 7 વાગ્યે નિર્ધારિત છે. ઈસરોના જણાવ્યા અનુસાર આ પ્રયાસ ત્યારે કરવામાં આવશે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની સૌથી નજીક હશે. 23 ઓગસ્ટે ઈસરો ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનો પ્રયાસ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application