ભારતીય અવકાશ એજન્સી ISRO માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. ચંદ્રયાન-3 આજે સાંજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.
આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ લોન્ચ થયા બાદ ચંદ્રના લગભગ બે તૃતીયાંશ અંતરને કવર કરી ચૂક્યું છે. તેના પ્રક્ષેપણથી ચંદ્રયાન-3ને ભ્રમણકક્ષા વધારવાની કામગીરીમાં પાંચ વખત સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે.
1 ઓગસ્ટના રોજ અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષાથી ચંદ્ર તરફ ઉપાડવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને વાહનને ટ્રાન્સલુનર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું. ઈસરોના જણાવ્યા અનુસાર આજે અન્ય એક મહત્વપૂર્ણ પ્રયાસમાં અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
રાષ્ટ્રીય અવકાશ એજન્સી ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશયાન દાખલ કરવાની પ્રક્રિયા 5 ઓગસ્ટ એટલે આજ રોજ સાંજે લગભગ 7 વાગ્યે નિર્ધારિત છે. ઈસરોના જણાવ્યા અનુસાર આ પ્રયાસ ત્યારે કરવામાં આવશે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની સૌથી નજીક હશે. 23 ઓગસ્ટે ઈસરો ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનો પ્રયાસ કરશે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 4, 2023
The spacecraft has covered about two-thirds of the distance to the moon.
Lunar Orbit Injection (LOI) set for Aug 5, 2023, around 19:00 Hrs. IST. pic.twitter.com/MhIOE65w3V
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટૂંક સમયમાં જાહેર થશે NEET-PG માટે નવી તારીખ, આ સમયગાળા દરમિયાન યોજાઇ શકે પરીક્ષા
July 02, 2024 10:39 PMISROનું બીજું મોટું બિગ સ્ટેપ, આદિત્ય-L1 એ હાંસિલ કરી આ સિદ્ધિ
July 02, 2024 10:37 PMમહિલાએ એક સાથે 60 લોકો સાથે કર્યા લગ્ન !
July 02, 2024 10:35 PMમહિલાએ પોતાની વેઈટરની હેરસ્ટાઈલ ચેન્જ કરી અને બદલાઇ ગયું નસીબ !
July 02, 2024 10:34 PMમસમોટા ઘરની કિંમત માત્ર 105 રૂપિયા, ખરીદનારને મળશે 7 લાખનું ઈનામ !
July 02, 2024 10:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech