નવી જંત્રી ઓકટોબરથી અમલી કરો: ચેમ્બરની સરકારમાં ધા

  • April 13, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાનગરોમાં જૂના વિસ્તારોમાં જંત્રી દર ઉંચા અને નવા પોશ વિસ્તારોમાં નીચા–અસમાનતા દૂર કરો: યાં જંત્રી દર વ્યાજબી હોય ત્યાં વધારો ન કરો: ખેતીની જંત્રીના દરોમાં રહેલી વિસંગતતા દૂર કરો: શહેરોમાં મિલકતોની માર્કેટ વેલ્યુ મુજબ જંત્રી દર નક્કી કરો: શહેરી વિકાસ સત્તા મંડળના વિસ્તારોમાં ઝોન મુજબ જંત્રી દર આપો: રાજકોટ ચેમ્બરની મુખ્યમંત્રીને વિસ્તૃત રજૂઆત




રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા રાજયમાં નવા જંત્રી દરની અમલવારી કરવાની છેલ્લી તા.૧૫–૪–૨૦૨૩ હોય તેની સમય મર્યાદા છ મહિના સુધી વધારીને ઓકટોબર–૨૦૨૩થી માંગણી કરવામાં આવી છે સાથે જ પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્રારા છ સૂચનો પણ રજુ કરવામાં આવ્યા છે.





રાજય સરકાર દ્રા૨ા નવા જંત્રી દ૨માં વિસંગતતાઓ હોય તે દુર કરવા અંગે જંત્રી વધારાના રાજયના વિકાસ લક્ષી નિર્ણયને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આવકારે છે. સાથોસાથ સમગ્ર રાજયમાં પણ આ નિર્ણયની છેલ્લી તારીખ ૧૫–૪–૨૦૨૩ હોય તેમજ સ૨કા૨ે જાહેર કરેલ નિર્ણનો સમયગાળો ખૂબ જ ટૂંકો હોય સ૨કા૨ે વ્યવસ્થિત પણે અને સારી રીતે નિર્ણય લેવો હોય તો દ૨ેક જિલ્લા કલેકટ૨ની અધ્યક્ષતામાં નીચલા સ્ટાફ પાસેથી જંત્રીના દરની સર્વેની કામગીરી લઈ અને આ નિર્ણય ક૨વામાં આવે તો જ આ નિર્ણય ખરા અર્થમાં ખેડૂતો તેમજ વેપા૨ીઓને હિત ક૨તા ગણાશે અને સ૨કા૨ના કામગીરીના વિકાસમાં દીવાદાંડી સમાન ગણાશે.





વિશેષમાં રજુઆતમાં જણાવ્યું છે કે મુદતમાં છ મહિનાનો વધારો કરવાથી આમ જનતાને મુશ્કેલી ન પડે અને સ૨કા૨ે જંત્રીનો દર એવરેજ ક૨ી નિર્ણય કર્યા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી જે બીન વ્યવહા ગણાશે. જંત્રીના દ૨ની ચોકકસ પણે ખાત્રી ક૨વા માટે આજની તા૨ીખથી રેવન્યુ ડિપાર્ટમેન્ટના તમામ અધિકા૨ીઓને કામે લગાડવામાં આવે તો પણ ૬ મહિનાનો સમયગાળો લાગે અને આમેય હમણાં જ ગુજરાત રાજયમાં બીન ખેતીના કેસો તા.૧૫૪–૨૦૨૩ સુધીમાં પુરા કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટ જણાવેલ છે.



જે પ્રેકટીકલી શકય નથી. ઉલ્ટામાં નવા લીટીગેશનો ઉભા થશે. હાલમાં સરકાર દ્રારા જંત્રીના સર્વેની કામગીરી હાથ ધરાયેલી જ છે. પણ દરેક શહેરની એરીયાવાઈઝ એરીયામાં રેસીડેન્સીઅલ, કોમર્શીઅલ કે ઈન્ડસ્ટ્રીઅલ વાઈસ તેમજ દરેક જીલ્લા શહેરી વિકાસ સતા મંડળના એરીયાવાઈસ કે એ૨ીયા બહારના તાલુકાઓ કે ગ્રામ્યના સ્થળ ઉપર સર્વે નંબ૨ વાઈસ નવી જંત્રીના દ૨ ૨જુ ક૨વા એ ઘણું જ કઠીન તેમજ ક્રીટીકલ કામ હોય આના સમાધાન અંગે સમય મર્યાદા એ જ આની દવા હોય. જો ૬ મહિનાનો સમય વધા૨ી સ૨કા૨ ઘટતું ક૨શે તો મોટાભાગની જંત્રીમા ૨હેલી વિસંગતતાઓ દૂર થશે. તેમજ ગુજરાત સ૨કા૨ને પોતાની રેવન્યુ આવકમાં અણધાર્યેા વધા૨ો થશે જે સ૨કા૨ે કલ્પનામાં પણ વિચાર્યુ ન હોય. સ૨કા૨ે એ પણ વિચા૨વું જોઈએ કે જયા જંત્રીના દ૨ વ્યાજબી છે ત્યાં વધા૨ો ન ક૨વો જોઈએ. અને આજની બજારે જયા જંત્રીના દ૨ બરોબર હોય તેવી જગ્યાએ હાલના જંત્રીના દર તે મુજબ યથાવત રાખવા જોઇએ.





હાલમાં સ૨કા૨એ સગવડતાના ભાગપેતા.૧૫–૪–૨૩ સુધીમાં કોઈપણ મિલ્કતના સોદાનું ૨જીસ્ટ્રેશન કરાવી લે તો જુની જંત્રીનો નિયમ લાગુ પડશે. તેવો હત્પકમ ફરમાવેલ છે. જે સ૨કા૨નું પગલું સરાહનીય છે. તેમજ હાલમાં તમામ સબ ૨જીસ્ટ્રાર કચેરીઓમાં ખૂબ જ વધારે ઘસારો જોવા મળે છે. અને સર્વર ડાઉનનાં રોજબરોજની સમસ્યાઓ ઉભી થઈ રહી છે. જેથી લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. અને આમેય આ નિર્ણય ૬ મહિનાની મુદત વધારા સમાન ગણાય, તો શા માટે ૬ મહિનાનો મુદત વધારો ન આપવો ?
(૧) જો આ ૬ મહિનાનું એકસટેન્શન આપવામાં આવે તો ગુજરાત રાયના કોઈપણ મેગા સીટીમાં કે જયા ઘણા વિસ્તા૨ોમાં એરીયા મુજબના જયા ભાવ ઉંચા છે. ત્યાં જંત્રીના દર નીચા છે. અને જયા ભાવ નીચા છે ત્યાં જંત્રીના દર ઉંચા છે. માટે આ વિસંગતતા દૂર કરી શકાય.
(૨) શહે૨ોના જુના વિસ્તારોમાં જંત્રીના દરો ઉચ્ચા છે તેમજ નવા વિકસીત વિસ્તા૨ોમાં જંત્રીના દર નીચા છે. આથી જુના વિસ્તારોના જંત્રીનો દર યથાવત રાખવામાં આવે તો તે લોકોનો પણ સર્વાય થઈ શકે.
(૩) શહેરી વિકાસ સત્તા મંડળ નીચે આવતા જમીનમાં પણ ૪ પ્રકાર છે. ખેતી લાયક, બીન ખેતી લાયક, ચીન ઝોન અને ઔધોગિક ઝોન. આમ ચારેય ઝોનમાં સવાગી વિકાસ કરવો હોય તો ચારેય ઝોનની જંત્રી અલગ અલગ હોવી જોઈએ. જેમ કે બીન ખેતીલાયક તેમજ ચીન ઝોનનો જંત્રીનો દર ખૂબ નીચો હોવો જોઈએ. શહેરી વિકાસ સતા મંડળ બહાર આવતા ગામડાઓમાં ઘણી જગ્યાએ ખેતીની જમીનમાં હાલના દરોમાં તેમજ જંત્રીના દ૨ોમાં ખૂબજ મોટી વિસંગતતાઓ છે તે પણ દૂર કરવી જરી છે.
(૪) કોઈપણ રાજયને વિકાસશીલ કરવું હોય તો સૌ પ્રથમ ગામડાથી વિકાસની શઆત કરવી જોઈએ. આમ ગ્રામ્યકક્ષાના ખેતીના જંત્રીના દરોને પ્રાયોરીટી આપી ગામડામાં જંત્રીના દરમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી જોઈએ. ગામડા સધ્ધર થશે તો શહેર સધ્ધર થશે જ.
(૫) રાજયના કોઈપણ શહેરનો ઝડપી વિકાસ કરવો હોય તો તાત્કાલીક અસરથી એ૨ીયાવાઈસ ખૂબ બારીકતા પૂર્વક જંત્રીના દરનો તેમજ મિલ્કતની માર્કેટ વેલ્યુનો અભ્યાસ કરીને જ જંત્રીના દરમાં ફેરફાર કરવા જોઈએ. જેથી શહેરનો સવાગી વિકાસ થાય તેમજ સરકારની રેવન્યુ આવકમાં ઘટાડાને બદલે ખાસો એવો વધારો થાય.
(૬) શહેરી વિકાસ સત્તા મંડળની નીચે આવતા તમામ ગામના સર્વે નંબરોમાં ઝોન પ્રમાણે વ્યાજબી દરની જંત્રીના દરમાં ફેરફાર કરવો જરી છે. જેથી જુના શહેરોના શહેરી વિકાસ સતા મંડળના વિસ્તારના ગામોનો શહેરી કરણની જેમ વિકાસ થાય. આમ આવા વિસ્તારમાં જંત્રીના દરમાં નજીવો ફેરફાર કરી શકાય. જેના પરિણામે આવા શહેરોનો ઝડપી વિકાસ થાય અને વિકાસશીલ રાજયમાં ફે૨વી શકાય.
આમારી આ તમામ માંગણીઓ છેલ્લા દોઢ મહિનાથી સર્વે અને મનોમંથન તેમજ ખેડૂતોના, વિપા૨ીઓના, બિલ્ડ૨ોના, ઈન્વેસ્ટરોના આવેલા પ્રશ્નોને શાંતીચીતે સાંભળી તેમજ દરેકની સાથે વન ટુ વન મિટીંગ કરી તેમના યોગ્ય પ્રતિભાવ લઈ સ૨કા૨ને આ તમામ વર્ગની વેદનાને વાચા આપવાનો નમ્ર પ્રયાસ ક૨ેલ છે. અને જો સ૨કા૨ આવો નિર્ણય લેશે તો તે સરાહનીય પગલું ગણાશે જે તમામ લોકોના હિતમાં ૨હેશે. આમ ક૨વાથી સ૨કા૨ની રેવન્યુ આવકમાં એકપણ પિયાનો ઘટાડો થતો નથી. જો આવું સચા પગલું સ૨કા૨ ભ૨શે તો આવનારા દિવસોમાં ઘણી બધી વિટંબણાઓ અને લીટીગેશન દૂર થશે અને સ૨કા૨નું આવકાદાયક પગલું ગણાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application