ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. એક તરફ લોકો આ ઐતિહાસિક દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ આ મામલે ભારે રાજનીતિ ચાલી રહી છે. વિપક્ષી દળોનો આરોપ છે કે ભાજપ રામ મંદિરના મુદ્દા પરથી રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. દરમિયાન, શિવસેના(યૂબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહે છે કે તેઓ પણ 22 જાન્યુઆરીએ ભગવાન રામની પૂજા કરશે, ફરક માત્ર એટલો જ છે કે આ પૂજા અયોધ્યામાં નહીં પરંતુ મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી નદી પરના કાલારામ મંદિરમાં થશે.
એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ કાલારામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરશે અને ગોદાવરી નદી પર આરતી કરશે. જ્યારે સોમનાથ મંદિરનો અભિષેક થયો ત્યારે રાષ્ટ્રપતિ આવ્યા હતા અને તેમના હાથે જ અભિષેક કરવામાં આવ્યો હતો. તેથી તેમની માંગ છે કે રાષ્ટ્રપતિને 22 જાન્યુઆરીએ પણ બોલાવવામાં આવે. ઉદ્ધવે કહ્યું કે આ માત્ર ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નથી બલ્કે દેશની પ્રતિષ્ઠા છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ દેશભક્ત છે પણ અંધ ભક્ત નથી. પીએમ મોદી પર કટાક્ષ કરતા તેમણે પૂછ્યું કે પીએમ મોદી માત્ર ચા પર જ કેમ ચર્ચા કરે છે. કેટલીકવાર તેમણે કોફી અને બિસ્કિટ પર પણ ચર્ચા કરવી જોઈએ. ઉદ્ધવે કહ્યું કે તેઓ ખુશ છે કે રામ સિંહાસન લઈ રહ્યા છે, અમે પણ દિવાળી ઉજવીશું, પરંતુ દેશનું દિવાળું નિકળી રહ્યું છે તેના પર પણ ચર્ચા થવી જોઈએ. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે અટલ સેતુ તો બની ગયો છે પરંતુ અટલજીનો ફોટો નથી, તેથી જોવું પડશે કે રામ મંદિરમાં રામજીની પ્રતિમા હશે કે નહીં.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ઉદ્ધવ ઠાકરે અથવા તેમની પાર્ટીએ રામમંદિરને લઈને ભાજપ અને પીએમ મોદી પર પ્રહાર કર્યા હોય. આ પહેલા પણ તેમણે ભાજપ પર આરોપ લગાવ્યા હતા. થોડા દિવસો પહેલા ઉદ્ધવે કહ્યું હતું કે ભગવાનના દર્શન કરવા માટે તેમને કોઈના આમંત્રણની જરૂર નથી. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે રામમંદિર જઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ 22 જાન્યુઆરી પછી અયોધ્યા જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationKKR એ બધી ટીમોને પાછળ છોડી IPL ઈતિહાસનો સૌથી બનાવ્યો મોટો રેકોર્ડ
May 20, 2024 10:45 PMરાજ્યમાં કાળઝાળ ગરમી, પાટનગર ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી...જાણો તમારા શહેરનું તાપમાન
May 20, 2024 10:44 PMગરમી અને ડિહાઇડ્રેશનથી બચવા દરરોજ ખાલી પેટે ખાઓ આ એક શાકભાજી
May 20, 2024 10:43 PMયુનિવર્સિટીએ બિલાડીને આપ્યું 'ડોક્ટર ઑફ લિટરેચર'નું બિરુદ !
May 20, 2024 10:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech