ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પણ ક્રિકેટ રસિકો અને IPL આયોજકો માટે વરસાદ વિઘ્નરૂપ બન્યો છે. હાલ તો આયોજકો દ્વારા મેચ મોડો શરુ કરવાની માહિતી અપાઈ છે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થનાર હતો. જ્યારે, હવે કેટલા વાગ્યે ટોસ થશે એ અંગે પણ કોઈ જાણકારી મળી રહી નથી.
ગુજરાત અને ચેન્નાઈની ટીમોએ સિઝનની લીગ મેચોમાં શાનદાર પર્ફોમન્સ કર્યું હતું. જ્યાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાતે 14 લીગ મેચોમાંથી 10 મેચ પોતાના નામે કરી છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે.
ચેન્નઈએ 14માં 8 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. વર્તમાન સિઝનની ફાઈનલ દ્વારા, ચેન્નાઈ તેની 10મી ફાઈનલ મેચ રમી રહી છે. જ્યારે, ગુજરાત તેની બીજી સિઝનમાં સતત બીજી ફાઈનલ માટે મેદાનમાં ઉતરશે. IPL 2022 એટલે કે તેની ડેબ્યૂ સિઝનમાં ગુજરાતે ટાઇટલ જીત્યું હતું. આ પહેલા ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ક્વોલિફાયર-1 મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈનો 15 રને વિજય થયો હતો.
ફાઈનલ મેચ પહેલા રમાયેલી ક્વોલિફાયર-2 મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો, જેમાં ગુજરાતનો 62 રને વિજય થયો હતો. ગુજરાતે મુંબઈને હરાવીને જ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે, જેમાં ગુજરાતે 3 અને ચેન્નાઈએ 1 મેચ જીતી છે. 4 મેચોમાં 3 લીગ અને એક પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. ગુજરાતે ત્રણેય લીગ મેચ જીતી હતી, જ્યારે ચેન્નાઈએ પ્લેઓફ જીતી હતી.
IPL 2023ની ફાઈનલ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે, જ્યારે હારનાર એટલે કે રનર અપ ટીમ 13 કરોડ રૂપિયા લઈને ઘરે જશે. પણ જો વરસાદના કારણે જો મેચ રદ થયો તો ગુજરાતની ટીમ વિનર બનશે. જો કે, આ ખૂબ મોટો નિર્ણય છે, આયોજકો આ સિવાય અન્ય કોઈ માર્ગ શોધી શકે છે. પણ હાલ તો વરસાદના પગલે અમદાવાદમાં મેચ જોવા આવેલા IPL ફેન્સને વરસાદના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાગઠીયા એટલો પૈસાદાર બન્યો તો ભાજપના નેતાઓ કેટલા પૈસાદાર હશે ? : ગાયત્રીબા વાઘેલા
July 03, 2024 07:31 PMગોંડલ રાજવીકાળના પૌરાણિક આશાપુરા માતાજીના મંદિરમાં ચોરી
July 03, 2024 07:28 PMપોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરનું કામ ધમધમ્યુ
July 03, 2024 07:25 PMબોખીરાથી રોકડિયા હનુમાન મંદિર સુધી 82 સ્ટ્રીટ લાઈટ ફીટ કરવાની કામગીરીનો થયો શુભારંભ
July 03, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech