ગુજરાતમાં રૂા. ૩,૧૯૪ કરોડના ખર્ચે ૧૫ રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ યોજના મંજૂર

  • March 16, 2023 11:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયસભા સાંસદ પરિમલ નથવાણીના સવાલનો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રીએ જવાબ આપ્યો




ગુજરાતમાં વર્ષ ૨૦૨૨–૨૩ દરમિયાન . ૩,૧૯૩.૫૩ કરોડના ખર્ચે ૧૫ રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્રારા મંજૂર અથવા સ્વીકૃત કરવામાં આવી છે અથવા મંજૂરી હેઠળ છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, કુલ . ૫૦,૦૧૩ કરોડના ખર્ચે અને કુલ ૨૦૭૭.૪૬ કિલોમીટરની લંબાઇને આવરી લેતી ૮૪ રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પૂલ, નાના અને મોટા પૂલ અને બ્લેક સ્પોટ રેટીફિકેશન પ્રોજેકટ જેવા ૧૫ પ્રોજેકટો પૂર્ણ કરવામાં આવ્યા છે અથવા નિર્માણ હેઠળ છે અથવા તો તેના કામ આપી દેવામાં આવ્યા છે.





રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી શ્રી નીતિન જે. ગડકરીએ ૧૫ માર્ચ ૨૦૨૩ના રોજ રાયસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્રારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. શ્રી નથવાણીએ ગુજરાત રાયમાં છેલ્લા ત્રણ વર્ષમાં પૂર્ણ થયેલાનિર્માણ હેઠળના રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ પ્રોજેકટની કુલ લંબાઈ અને ખર્ચનો સમાવેશ સાથેની વિગતો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. તેમણે આગામી ત્રણથી પાંચ વર્ષ માટે ગુજરાત રાય માટે મંજૂર કરાયેલા નવા રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ પ્રોજેકટસ (આયોજિત રોકાણો સહિત) વિશેની વિગતો પણ માંગી હતી.





પ્રત્યુત્તરમાં આગામી ત્રણથી પાંચ વર્ષ માટે પ્રસ્તાવિત યોજનાઓ પરના પ્રશ્નના સંદર્ભમાં મંત્રીશ્રીએ જવાબ આપ્યો કે રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગેાનો વિકાસ અને જાળવણી એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ડીપીઆર, ટ્રાફિકનું પ્રમાણ, અગ્રતાક્રમ અને સંસાધનોની ઉપલબ્ધતાના આધારે ક્રમિક વર્ષેામાં હાથ ધરવામાં આવનાર યોજનાઓને અંતિમ સ્વપ આપવામાં આવે છે. મંત્રીશ્રીએ એમ કહીને પ્રશ્નનો ઉત્તર પૂર્ણ કર્યેા હતો કે આગામી ત્રણથી પાંચ વર્ષ માટે કોઈ યોજનાને મંજૂરી આપવામાં આવી નથી.



આગામી સમયની મહત્વની યોજનાઓમાં
– સાબરમતી નદી પર ૮૨૦ કરોડના ખર્ચે ફોર લેન એલિવેટેડ કોરિડોર, શાક્રી બ્રિજ સહિત
– સાબરમતી નદી પર . ૬૮.૪૨ કરોડના ખર્ચે વધારાનો ફોર લેન બ્રિજ અને તેના એપ્રોચીસ
– એનએચ – ૬૮ના પાટણ–ગોઝારિયા વિભાગના કુલ ૭૬.૯૪ કિમી લંબાઈના માર્ગનું . ૧૧૮૧.૩૪ કરોડના ખર્ચે અપગ્રેડેશન
– એનએચ – ૯૨૭ડી પર ધોરાજી–જામકંડોરણા–કાલાવડ સેકશનના કુલ ૫૮.૧૧૫ કિમી લંબાઈના માર્ગને પહોળો કરવા તથા તેનું મજબૂતીકરણ કરવા માટે . ૨૪૬.૬ કરોડના ખર્ચે થશે.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application