જિલ્લામાંથી કોલેરા રોગને નાબુદ કરવા શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા ૫૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરાયા
જામનગર તા.૨૭ જૂન, શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા જિલ્લામાંથી કોલેરા રોગને નાબુદ કરવા તથા કોઈપણ પરીસ્થિતિને પહોંચી વળવા અંદાજે ૫૦૦થી વધુ આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા.જેમાં સંસ્થા ખાતેના તમામ ફેકલ્ટી, ટ્યુટર, એસ.આર, રેસિડન્ટ ડોકટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, મહાનગરપાલીકાનો તમામ તબીબી સ્ટાફ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સંસ્થાના પ્રોફેસર અને મેડિસન વિભાગના વડાશ્રી ડો.મનીષ મહેતા, અધિક ડીનશ્રી અને નોડલ ઓફિસર ડો.એસ.એસ.ચેટરજી, એસો.પ્રોફેસર–મેડિસન અને નોડલ ઓફિસર ડો.બી.આઈ.ગોસ્વામી, બાળ રોગ નિષ્ણાંત ડો.નમ્રતા મકવાણા, લેબોરેટરી નિષ્ણાંત ડો.પુષ્પા કટેસિયા, પી.એસ.એમ. વિભાગ નિષ્ણાંત ડો.કપિલ ગંધા, બાળ રોગ વિભાગના વડાશ્રી ડો.ભદ્રેશ વ્યાસ વગેરેએ તાલીમાર્થીઓને કોલેરા વિશે વિગતવાર માહિતી આપી હતી.
જામનગર મહાનગરપાલીકાના એમ.ઓ.એચ. ડો.ગોરી તથા તેમની ટીમ તથા જિલ્લા પંચાયતમાંથી DSOશ્રી તેઓની ટીમ સાથે તાલીમ દરમિયાન હાજર રહ્યા હતા. તથા તેઓ દ્વારા કોલેરા અંગે કરવામાં આવતી કામગીરી વિશે તમામને માહિતી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech