જામનગરમાં બર્ડ કેમ્પનું વિના મૂલ્યે આયોજન

  • January 12, 2023 12:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના જય વચ્છરાજ ગૌ-સેવા ટ્રસ્ટ દ્વારા આગામી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખી વિભાપરની આ જય વચ્છરાજ ગૌશાળા દ્વારા પતંગની દોરીથી ઇજાઓ પામતાં પક્ષીઓનું સારવારના અભાવે મોત ન થાય તે માટે વિના મૂલ્યે બર્ડ કેમ્પનું આયોજન યોજાવમાં આવ્યું છે, આ કેમ્પ આગામી 14 જાન્યુઆરી જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ વિભાપર  કેમ્પ સ્થળ લખોટા તળાવ ગેટ નંબર 2 ખાતે રાખવામાં આવ્યું છે. સમય સવારે 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી.


આ માટે ટ્રસ્ટ દ્વારા બર્ડ હેલ્પલાઇન નંબર : 97371-56603 જાહેર કરવામાં આવ્યો છે, ટ્રસ્ટે જણાવ્યું છે કે, કોઇપણ વ્યક્તિને ઘવાયેલું પક્ષી જોવા મળે તો, નજીકના સારવાર કેન્દ્ર ખાતે પહોંચાડવા માટે આ નંબરનો સંપર્ક સાધી શકાશે, આ ઉપરાંત ટ્રસ્ટે વિનંતી કરી છે કે, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો અને ઉત્તરાયણ પછી અને ઉત્તરાયણ દરમ્યાન નકામી દોરીઓ એકત્ર કરી તેનો નાશ કરવો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application