પૂર્વ IAS ઓફિસર, દિનેશભાઈ પટેલનું દેહાંત, આજે અંતિમયાત્રા

  • February 20, 2024 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પૂર્વ IAS ઓફિસર, દિનેશભાઈ પટેલ(ચનિયારા) આજરોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમણે ઉમિયા પરિવારના પૂર્વ તંત્રી, ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટી અને કડવા પાટીદાર કેળવણી મંડળ ગોંડલના મેનેજીંગ તરીકે પણ સેવા આપી હતી. ધીરજલાલ, મનસુખભાઈ, ડો. હસમુખભાઈ અને પ્રફુલભાઈના ભાઈ તથા રોહીન ચનિયારાના પિતાશ્રી દિનેશભાઈએ આજે ૬૧ વર્ષની ઉમરે અંતિમ શ્વાસ લીધા છે.


તેઓની અંતિમ યાત્રા આજે બપોરે ૧-૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન "વૈદેહી” પુનીત નગર મેઈન રોડ, ખોડીયાર ડેરી સામે, ગોંડલ ખાતેથી નીકળશે. સ્વ. દિનેશભાઈના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે આજકાલ પરિવારે પ્રાર્થના સાથે દિલગીરી વ્યક્ત કરી છે.



​​​​​​​


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application