IPL 2024ની 69મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન જીતેશ શર્મા છે, કારણ કે સેમ કુરન સ્વદેશ પરત ફર્યો છે. શિખર ધવન ઈજાગ્રસ્ત છે. પરંતુ કેપ્ટન તરીકે પોતાની પહેલી જ મેચમાં જીતેશ શર્માએ મોટો નિર્ણય લીધો છે.
આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ ટીમે મેચની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક વિદેશી ખેલાડીને રમ્યો હોય. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવનમાં રિલે રૂસો એકમાત્ર વિદેશી ખેલાડી છે. જીતેશ શર્માએ કેપ્ટન તરીકે પોતાની પહેલી જ મેચમાં મોટો નિર્ણય લીધો છે. આ સિવાય ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શનમાં કોઈ વિદેશી ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. IPL ટીમો કોઈપણ મેચ માટે તેમની પ્લેઈંગ ઈલેવનમાં વધુમાં વધુ ચાર વિદેશી ખેલાડીઓ રાખી શકે છે.
પંજાબ કિંગ્સની ટીમ IPLમાં એક વખત પણ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. ટીમે 2008થી IPLની દરેક સિઝનમાં ભાગ લીધો છે. ટીમ IPL 2014ની ફાઇનલમાં પહોંચી હતી. જ્યાં ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સની ટીમ IPL 2024માં સારું પ્રદર્શન કરી શકી નથી. ટીમ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમનો નિયમિત કેપ્ટન શિખર ધવન પણ સીઝનની મધ્યમાં ઈજાગ્રસ્ત થયો હતો. આના કારણે ટીમને પણ નુકસાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech