1 લી જુલાઈથી ઇન્દોર અને ઉદયપુર ની ફ્લાઈટ શરૂ થશે:દરરોજ ઉડાન ભરશે

  • June 07, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઈન્ડિગો એરલાઇન્સ ની આ બંને ફ્લાઈટ માટે અત્યારથી જ પેસેન્જરોની ઇન્કવાયરી,ટીકીટ બુકીંગ શરૂ:3000 થી 4500 ટિકિટના ભાવ




આગામી પેલી જુલાઈ થી રાજકોટ- ઇન્દોર અને ઉદયપુર માટેની ફ્લાઈટ સેવા શરૂ થવા જઈ રહી છે, જેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પહેલા મે મહિનામાં ઉદયપુર અને ઇન્દોર માટે વિમાની રૂટ શરૂ થવાનો હતો પરંતુ આ ઓપરેશન જે તે સમયે ટેકનિકલ કારણથી અટકાવી દેવાયું હતું.




સૌરાષ્ટ્રમાંથી ઈન્દોર અને ઉદયપુર માટે વિમાની સેવા શરૂ કરવા માટે મુસાફરો ઉપરાંત વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર થી શ્રીનાથજી અને ઉદયપુર જવા માટેનો ટ્રાફિક હોવાના લીધે આ ફ્લાઈટમાં અત્યારથી જ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આ બંને રૂટ પર 3,000 થી લઈ 4500સુધીના ટિકિટના ભાવ ચાલી રહ્યા છે.



ઈન્ડિગો એરલાઇન્સ એ જણાવ્યા મુજબ સવારે આઠ વાગ્યાની આસપાસ આ બંને ફ્લાઈટનો સ્લોટ ફાળવવામાં આવશે. ઉદયપુર અને શ્રીનાથજી માટે ભાવિકો ની વધુ સંખ્યા અને ઇન્દોર માટે વેપારીઓ નું આવાગમન વધુ રહેતું હોવાથી આ બંને ફ્લાઈટ પણ મુંબઈ અને દિલ્હીની જેમ હાઉસફુલ રહેશે તેવા એંધાણ મળી રહ્યા છે.


આ બંને ફ્લાઈટના સમય આ મુજબ છે જેમાં ઇન્દોર થી રાજકોટ સવારે 6:30 કલાક ફલાઇટ લેન્ડ થશે, રાજકોટ થી ઇન્દોર માટે બપોરે 11.55 મિનિટ ફલાઇટ જશે. જ્યારે ઉદયપુર માટે રાજકોટ થી સવારે 8. 44 મિનિટે ઉડાન ભરી 9. 55 મિનિટે ઉદેપુર પહોંચશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application