BREAKING NEWS

જામનગર: રામપર ગામની પરણીતાને દુ:ખ ત્રાસ આપ્યાની રાવ

  • July 01, 2026 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર: રામપર ગામની પરણીતાને દુ:ખ ત્રાસ આપ્યાની રાવ

રાજકોટમાં રહેતા પતિએ હેરાન પરેશાન કરી કાઢી મુકી 


જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકે એક પરિણીત મહિલાની ફરિયાદના આધારે તેના પતિ વિરુદ્ધ સ્ત્રી અત્યાચારનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ રાજકોટના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી રાધિકાબેને પોતાના પતિ સાગરભાઈ રમેશભાઈ મિયાત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

મહિલાના જણાવ્યા મુજબ તેના પતિને દારૂ પીવાની ટેવ હોવાથી તેઓ અવારનવાર નાની-નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. અગાઉ પણ મહિલાને પતિના ત્રાસના કારણે પિયર જવાની ફરજ પડી હતી, જોકે સમાધાન બાદ ફરીથી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ પતિ દ્વારા ફરીવાર હેરાનગતિ અને દુ:ખ-ત્રાસ આપવામાં આવતા મહિલાએ પોલીસનો આશરો લીધો હતો. ફરિયાદના આધારે પંચકોશી-એમાં ફરીયાદ કરતા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application