રાજકીય પક્ષો ચૂંટણી માટે ધર્મનો ઉપયોગ કરે છે ત્યારે ચૂંટણી પંચ મૌન રહે છે. જો કોઈ મુસ્લિમ નેતાએ અલ્લાહ હુ અકબર કહીને વોટ માંગ્યા હોત તો મોટો હંગામો મચી ગયો હોત
નસીરુદ્દીન શાહનું નામ તે બોલિવૂડ સ્ટાર્સમાં સામેલ છે જેમની એક્ટિંગ પાછળ સૌ કોઈ દીવાનું છે. થોડા સમય પહેલા અભિનેતાની વેબ સિરીઝ 'તાજ' રીલિઝ થઈ હતી. જેમાં તેના કામને ખૂબ જ વખાણ મળ્યા છે. બીજી તરફ દેશના દરેક મુદ્દા પર નિખાલસ જવાબો આપનાર નસીરુદ્દીન શાહે તાજેતરમાં જ સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેશન બની ગઈ છે.. જેને સરકાર સિનેમા દ્વારા ખૂબ જ ચાલાકીથી ફેલાવી રહી છે.
તાજેતરમાં નસીરુદ્દીન શાહે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'કેટલીક ફિલ્મો અને શોનો ઉપયોગ પ્રચાર તરીકે થઈ રહ્યો છે. આ સાથે ચૂંટણીમાં મત મેળવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ શાસક પક્ષ તેમનો ખૂબ જ ચાલાકીથી ઉપયોગ કરી રહ્યો છે.આ જ કારણ છે કે આજકાલ શિક્ષિત લોકો માટે પણ મુસ્લિમોને નફરત કરવાની ફેશન બની ગઈ છે.
નસીરુદ્દીને વધુમાં કહ્યું કે, 'ચૂંટણી પંચ પણ આવી બાબતો પર મૌન સેવે છે. રાજકીય પક્ષો ચૂંટણી માટે ધર્મનો ઉપયોગ કરે છે ત્યારે ચૂંટણી પંચ મૌન રહે છે. બીજી તરફ જો કોઈ મુસ્લિમ નેતાએ અલ્લાહ હુ અકબર કહીને વોટ માંગ્યા હોત તો અત્યાર સુધીમાં મોટો હંગામો મચી ગયો હોત.
પીએમ મોદી પર નિશાન સાધતા અભિનેતા કહે છે કે, 'આપણા વડાપ્રધાન પણ આજકાલ આ બધી વસ્તુઓ વાપરે છે પરંતુ તેમ છતાં હારી જાય છે. તેથી જ હું આશા રાખું છું કે આ બધુ સમાપ્ત થઈ જશે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech