ફિલ્મોનો ઉપયોગ મુસ્લિમો સામે નફરત ફેલાવવા થઇ રહ્યો છે: નસીરુદ્દીન શાહનું વિવાદિત નિવેદન

  • May 30, 2023 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકીય પક્ષો ચૂંટણી માટે ધર્મનો ઉપયોગ કરે છે ત્યારે ચૂંટણી પંચ મૌન રહે છે. જો કોઈ મુસ્લિમ નેતાએ અલ્લાહ હુ અકબર કહીને વોટ માંગ્યા હોત તો મોટો હંગામો મચી ગયો હોત



નસીરુદ્દીન શાહનું નામ તે બોલિવૂડ સ્ટાર્સમાં સામેલ છે જેમની એક્ટિંગ પાછળ સૌ કોઈ દીવાનું છે. થોડા સમય પહેલા અભિનેતાની વેબ સિરીઝ 'તાજ' રીલિઝ થઈ હતી. જેમાં તેના કામને ખૂબ જ વખાણ મળ્યા છે. બીજી તરફ દેશના દરેક મુદ્દા પર નિખાલસ જવાબો આપનાર નસીરુદ્દીન શાહે તાજેતરમાં જ સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેશન બની ગઈ છે.. જેને સરકાર સિનેમા દ્વારા ખૂબ જ ચાલાકીથી ફેલાવી રહી છે.




તાજેતરમાં નસીરુદ્દીન શાહે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'કેટલીક ફિલ્મો અને શોનો ઉપયોગ પ્રચાર તરીકે થઈ રહ્યો છે. આ સાથે ચૂંટણીમાં મત મેળવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ શાસક પક્ષ તેમનો ખૂબ જ ચાલાકીથી ઉપયોગ કરી રહ્યો છે.આ જ કારણ છે કે આજકાલ શિક્ષિત લોકો માટે પણ મુસ્લિમોને નફરત કરવાની ફેશન બની ગઈ છે.




નસીરુદ્દીને વધુમાં કહ્યું કે, 'ચૂંટણી પંચ પણ આવી બાબતો પર મૌન સેવે છે. રાજકીય પક્ષો ચૂંટણી માટે ધર્મનો ઉપયોગ કરે છે ત્યારે ચૂંટણી પંચ મૌન રહે છે. બીજી તરફ જો કોઈ મુસ્લિમ નેતાએ અલ્લાહ હુ અકબર કહીને વોટ માંગ્યા હોત તો અત્યાર સુધીમાં મોટો હંગામો મચી ગયો હોત.




પીએમ મોદી પર નિશાન સાધતા અભિનેતા કહે છે કે, 'આપણા વડાપ્રધાન પણ આજકાલ આ બધી વસ્તુઓ વાપરે છે પરંતુ તેમ છતાં હારી જાય છે. તેથી જ હું આશા રાખું છું કે આ બધુ સમાપ્ત થઈ જશે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application