સૈનિક સ્કૂલ બાલાચડીમાં ધોરણ-૧૨ના કેડેટ્સનો વિદાય સમારોહ યોજાયો

  • February 17, 2023 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી,જામનગરમાં ધોરણ-૧૨નો અભ્યાસ પૂર્ણ કરનાર કેડેટ્સનો વિદાય સમારોહ યોજાયો હતો. તેમાં ધોરણ-૧૨ને સમર્પિત ગીતો, કવિતા અને નૃત્ય પ્રદર્શનની કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

અભ્યાસ પૂર્ણ કરનાર ધોરણ-૧૨ના કેડેટ્સે પોતાના સ્કૂલના અનુભવોને ભાવાત્મક અને લાગણીશિલ સ્વરમાં વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ કેડેટ્સને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યા હતા. સભાને સંબોધતા આચાર્યએ જણાવ્યું હતું કે, સૈનિક શાળા બાલાચડીમાં વિતાવેલ શાળા જીવનના સાત વર્ષ બાલાચડીના જીવનનો શ્રેષ્ઠ ભાગ છે.

તેમણે કેડેટ્સને શ્રેષ્ઠ બનવા માટે ગુરુ મંત્ર ‘દિશા' આપ્યો જેનો અર્થ છે શિસ્ત, ઉદ્દેશ્ય, પ્રામાણિકતા, સખત મહેનત અને મહત્વાકાંક્ષા. તેમણે કેડેટ્સના વ્યક્તિત્વમાં 5Gs જેનો અર્થ છે ગ્રિટ, ગ્રૂમ, ગ્રિન, ગટ્સ અને ગ્લોરી કેળવવા જણાવ્યું હતું. તેમણે આગામી બોર્ડ પરીક્ષાઓ માટે કેડેટ્સને શુભેચ્છા પાઠવી હતી.

અંતે સ્કૂલના આચાર્ય, અધિકારીઓ અને સ્ટાફે આઉટગોઇંગ કેડેટ્સને તેમના ભવિષ્યના પ્રયત્નો માટે અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application