દેશભરમાં ઉજવાઈ રહેલા નવરાત્રીના પર્વમાં ઘણા લોકો ઉપવાસ પણ કરતા હશે ત્યારે તમે પણ જો ફરારમાં કંઇક અલગ અને સ્વાદિષ્ટ ખાવાનું વિચારી રહ્યા હોવ તો જલ્દી થી શીખીલો આ ફરાળી ભજીયાની રેસીપી જે કોઈ પણ જંજટ વગર ફટાફટ બનવાની સાથે તમારી ભૂખ પણ સંતોષશે.
સામગ્રી
*1 વાડકી રાજગરાનો લોટ
*2 નંગ લીલા મરચા (ઝીણા સમારેલા)
*1 ચમચી તલ
*3 નંગ બટાકા(મિડિયમ સાઈઝ)
*2 ચમચી આદુ (છીણેલુ)
*1 ચમચી લાલ મરચુ પાવડર
*1 ચમચી મરી પાવડર
*1 ચમચી જીરૂ પાવડર
*1 ચમચી લીંબુનો રસ
*સ્વાદ અનુસાર સિંધવ નમક
*તળવા માટે તેલ
ભજીયા બનાવવાના ખીરુંની રીત
સૌ પ્રથમ બટાકાને બાફી લો ધોઈ લો, ત્યારબાદ બટાકાની છાલ ઉતારી તેને ઝીણી ખમણી વડે છીણી પાણી વડે ધોઈ બધુ પાણી હાથ વડે દબાવી કાઢી લેશું, હવે એક બાઉલમાં રાજગરાનો લોટ નાખી તેમાં બટાકાનું ખમણ નાખો, ત્યારબા ઉપર બતાવેલ સમગ્ર સામગ્રી ઉમેરી બધુ બરાબર રીતે મીક્ષ કરો, ત્યારબાદ પાણી નાખી ફરી બધુ બરાબર મીક્ષ કરો. અને તૈયાર છે તમારા ભજીયાનું ખીરું.
ફરાળી ભજીયા બનાવવાની રીત
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે એક ચમચી વડે ત્યાર કરેલા ખીરૂમાંથી ભજીયા પાડો, ભજીયા વચ્ચે વચ્ચે પલટાવતા રહો, જેથી તે બન્ને બાજુ બરાબર પાકી જાય. ભજીયા બ્રાઉન રંગ પકડે એટલે તેને એક પ્લેટમાં કાઢી લો. ત્યાર થયેલા રાજગરાના ફરાળી ભજ્યા તમે ખજુર અને આમલીની ચટણી તેમજ દહી સાથે ખાઈ શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech