ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે નિલમ બોધ ઘાટ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મનમોહનસિંહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા છે. તેમના અંતિમસંસ્કારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
મનમોહનસિંહની રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ત્રણેય સૈન્ય દ્વારા તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. તેમની અંતિમવિધિ નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા, રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજો સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ત્યાં હાજર રહ્યા હતા.
મનમોહનનાં પત્ની ગુરશરણ કૌર, મોટી પુત્રી ઉપિંદર સિંહ (65), બીજી પુત્રી દમન સિંહ (61) અને ત્રીજી પુત્રી અમૃત સિંહ (58) નિગમ ઘાટ પર હાજર હતા. આ પરિવાર વડાપ્રધાન મોદીને પણ મળ્યો હતો.
સોનિયા, પ્રિયંકા, રાહુલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નિગમબોધ ઘાટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ, વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી રાજનાથ પણ તેમને વિદાય આપવા પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર વખતે પણ મનમોહન સિંહને તેમની મનપસંદ વાદળી પાઘડી પહેરાવવામાં આવી હતી.
ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને સવારે 9:30 વાગ્યે તેમના નિવાસસ્થાનથી કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો. આ પછી અંતિમ યાત્રા નીકળી હતી.
પૂર્વ વડાપ્રધાનને જે રીતે દેશ-વિદેશમાં તેમના આર્થિક સુધારા અને ભારતના વિકાસમાં યોગદાન બદલ યાદ કરાયા છે તે જોતાં 'ઈતિહાસ મારા પ્રત્યેક મીડિયા-વિપક્ષ કરતાં દયાળુ રહેશે' તેવું મનમોહન સિંહનું કથન સાચું પડયું છે. મનમોહનસિંહ દેશના પહેલા શીખ વડાપ્રધાન અને સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા ચોથા નેતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech