રવિવારે સૌ. યુનિ.માં મોરારિબાપુની ઉપસ્થિતિમાં એવોર્ડ અર્પણ સમારોહ

  • February 21, 2023 07:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય મંત્રી રૂપાલા અને ગુજરાતના મંત્રી મુળુભાઇ બેરા ઉપસ્થિત રહેશે




ગુજરાત સરકાર દ્રારા સ્થાપિત અને ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરિત સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની ઝવેરચદં મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્રારા આગામી તારીખ ૨૬ ના રવિવારે એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જાણીતા સતં અને કથાકાર મોરારીબાપુ ખાસ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ કરી આશીર્વાદ પાઠવશે.




સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની ઝવેરચદં મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્રારા દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે ઝવેરચદં મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ ડોકટર ઇન્દુ રામબાબુ પટેલ અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ લાખણશીભાઈ ગઢવીને આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલ કાનજી ભુટા બારોટ રંગમચં ખાતે તારીખ ૨૬ ના રવિવારે સાંજે ૫ થી ૭:૩૦ વાગ્યા દરમ્યાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મોરારીબાપુ, કેન્દ્રીય મંત્રી પુષોત્તમ પાલા, ગુજરાતના મંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, કુલપતિ ગિરીશભાઈ ભીમાણી સહિતના ઉપસ્થિત રહેશે. ૨૦૧૧ થી સ્થાપિત કરવામાં આવેલા ઝવેરચદં મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્રારા દર વર્ષે .૧,૦૦,૦૦૦ નો મેઘાણી સાહિત્ય એવોર્ડ અને ૨૦૧૫ થી શ કરવામાં આવેલ . એક લાખનો લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application