જો ભોજનમાં સ્વાદ ન હોય તો ખાનાર અને બનાવનાર વ્યક્તિ પણ નિરાશ થઈ જાય છે. કલ્પના કરો કે તે કેટલું સારું હશે જો એવું કંઈક હોય જે ખોરાકના ફિક્કા સ્વાદને વધારી શકે. બસ, આ હવે માત્ર કલ્પના નથી રહી, વૈજ્ઞાનિકોએ એક એવી તરકીબ શોધી કાઢી છે જે ખોરાકને સ્વાદિષ્ટ બનાવશે.
અત્યાર સુધી તમે જાણતા જ હશો કે જે વ્યક્તિ ભોજન બનાવે છે તેના હાથમાં સ્વાદ હોય છે, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ એક રસપ્રદ વસ્તુ શોધી કાઢી છે. તેનાથી ભોજનનો સ્વાદ આપોઆપ વધી જશે. આપણે બધા જાણીએ છીએ કે ભોજનનો સ્વાદ વધારવા માટે મીઠું ખૂબ જ જરૂરી છે. તેના વગર કોઈપણ ચટપટી વાનગીની કલ્પના પણ કરી શકતા નથી. હવે એક જાદુઈ ચમચી બનાવવામાં આવી છે જે મીઠાને સંતુલિત કરશે.
અહેવાલ મુજબ, આ અનોખા ચમચીની શોધ જાપાનમાં કરવામાં આવી છે, જે હવે વેચાણ માટે ઉપલબ્ધ છે. તે ભોજનનો સ્વાદ વધારે છે. ચમચી પ્લાસ્ટિક અને ધાતુની બનેલી છે અને તે એ લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ મીઠાનું સેવન ઘટાડવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સંશોધકો દાવો કરે છે કે ચમચી સ્વસ્થ આહારને પ્રોત્સાહન આપે છે. તે ઈલેક્ટ્રિક સોલ્ટ સ્પૂન ટેક્નિકથી બનાવવામાં આવે છે.
આ ચમચી મેઇજી યુનિવર્સિટીના પ્રોફેસર હોમી મિયાશિતા દ્વારા બનાવવામાં આવી હતી. તેને બનાવનારી કંપની કિરીનનું કહેવું છે કે તેના ઉપયોગથી ભોજનની ખારાશ દોઢ ગણી વધી જાય છે. કંપનીએ કહ્યું કે તેને ચાર લેવલ પર લોન્ચ કરવામાં આવી છે. 20 મેના રોજ લોન્ચ કરવામાં આવેલ અનોખી ચમચીની કિંમત 19,800 યેન એટલે કે 10,469 રૂપિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech