aajkaal@team
પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલે મે-2023 દરમિયાન ફરજમાં કર્મચારીઓની તકેદારી અને અનિચ્છનીય બનાવ નિવારવામાં યોગદાનની પ્રશંસા કરતા ભાવનગર ડીવીઝનના 9 કર્મચારીઓને "ડીઆરએમ સેફ્ટી એવોર્ડ" એનાયત કર્યો. ડિવિઝનલ રેલ્વે મેનેજર દ્વારા 29 મે, 2023 (સોમવાર) ના રોજ ડીવીઝનલ રેલ્વે મેનેજરની ઓફિસ - ભાવનગર પરા ખાતે અપર મંડલ રેલ પ્રબંધક કૃષ્ણ લાલ ભાટિયા અને સીનિયર ડીઓએમ અભિનવ જેફની હાજરીમાં પાત્ર કર્મચારીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલે ગુડ્ડૂ કુમાર (ગોપનીય સહાયક/વરિષ્ઠ મંડલ પરિચાલન પ્રબંધક), ગણેશ કુમાર (કાંટેવાલા, રાજુલા રોડ જં.), મુકેશ સનવાલ (ઉપ સ્ટેશન અધીક્ષક, કુંડલી), રાહુલ એલ. સુરૂ (પી. મેઈન, ગાંધીગ્રામ), લલિત કુમાર યાદવ (ઉપ સ્ટેશન અધીક્ષક, લીંબડી), ઉમેશ યોગેન્દ્ર રાય, ગેટકીપર (એક્સ સર્વિસમેન) મોરૈયા, રવિ કુમાર (સ્ટેશન માસ્ટર, ઉજલવાવ), રણવીર સિંહ (પી. મેઈન, રાયકા) અને જયેશભાઈ કટારીયા (પી. મેઈન, ધોળા જં.) ને મેરિટ પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ સન્માનિત કર્મચારીઓએ રેલ્વે સંરક્ષામાં ખામી શોધીને તાત્કાલિક યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી રેલવેને બચાવ્યા છે.
ગુડ્ડૂ કુમાર (ગોપનીય સહાયક/સીનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર) એ કી પરફોર્મન્સ ઈન્ડિકેટર (KPI) ના પ્રદર્શનમાં ભાવનગર રેલ્વે મંડલને ભારતીય રેલ્વેમાં 16મું સ્થાન અને પશ્ચિમ રેલ્વેમાં 3મું સ્થાન હાંસલ કરવામાં માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ કર્મચારીઓને અભિનંદન અને વખાણ કર્યા હતા અને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફરી જય શાહની ભવિષ્યવાણી, રોહિત શર્માની કેપટન્સીમાં ભારત આ બંને ટ્રોફી પણ કરશે પોતાના નામે
July 07, 2024 06:22 PMઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech