બિહારમાં રાજ્યસભાની બે ખાલી બેઠક યોજાશે પેટાચૂંટણી,  21 ઓગસ્ટ સુધી ચાલશે નામાંકન પ્રક્રિયા

  • August 07, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ભારતના ચૂંટણી પંચે બિહારમાં રાજ્યસભાની બે ખાલી બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે. પંચના જણાવ્યા અનુસાર, મીસા ભારતી અને વિવેક ઠાકુર લોકસભાના સભ્ય બનવાને કારણે રાજ્યસભાની બંને બેઠકો ખાલી પડી હતી. આ ખાલી બેઠકો પર 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે.




ચૂંટણી પંચ દ્વારા 14 ઓગસ્ટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ નામાંકન પ્રક્રિયા 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. 22 ઓગસ્ટના રોજ સ્ક્રુટિની થશે અને 27 ઓગસ્ટ સુધી નામાંકન પરત ખેંચવાનો સમય આપવામાં આવ્યો છે. જરૂર પડશે તો 3 સપ્ટેમ્બરે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી નક્કી કરવામાં આવી છે.




મીસા ભારતી અને વિવેક ઠાકુરે લોસની ચૂંટણી જીતી હતી



તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં મીસા ભારતીનો કાર્યકાળ 7 જુલાઈ, 2028 સુધી હતો અને વિવેક ઠાકુરનો કાર્યકાળ 9 એપ્રિલ, 2026 સુધી હતો. આ પહેલા પણ આ બંને લોકસભા ચૂંટણી જીત્યા હતા. મીસા ભારતી પાટલીપુત્ર હાર બેઠક પરથી સાંસદ બની છે. આ સાથે જ વિવેક ઠાકુર નવાદા સંસદીય બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application