જામનગરના નિલકંઠ પાર્કમાં રૂપિયાની ચિંતામાં વૃઘ્ધનો આપઘાત
જામનગરના નિલકંઠ પાર્કમાં રહેતા એક વૃઘ્ધે રૂપિયાની લેતી દેતીના ટેન્શનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
શહેરના નિલકંઠ પાર્ક શેરી નં. ૩, પ્લોટ નં. ૧ર માં રહેતા કિંતીકુમાર જીવાભાઇ વાયા (ઉ.વ. પ૬) નામના વૃઘ્ધને અમુક માણસોને રૂપિયા દેવાના હોય અને અમુક પાસેથી લેવાના હોય જેના ટેન્શનમાં ગઇકાલે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ થયું છે.
આ અંગે નિલકંઠ પાર્કમાં રહેતા દક્ષાબેન દ્વારા સીટી સી ડીવીઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા જાહેર થયેલી વિગતના આધારે તપાસને આગળ ધપાવી છે.