રાજ્યમાં પહેલી એપ્રિલથી ગ્રાહકપંચો માં ઈ ફાઇલિંગ લાગુ કરાશે

  • February 20, 2023 07:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કેન્દ્રના હુકમ સામે વિરોધનો સુર.



કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને ગ્રાહક પંચોમાં એ ફાઇલિંગ સહેલી એપ્રિલથી કરવાના આદેશ કર્યા છે દેશના રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા તમામ ફરિયાદોને કેસોનું ફરજિયાત પણે ઈ ફાઇલિંગ કરવા જરૂરી માળખાકીય સુવિધા ઉભી કરવાની હૈયાધારણા આપવામાં આવી છે. જેના પગલે ગુજરાત સરકારના ગ્રાહકોની બાબત વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. પરંતુ આ નિર્ણય અવ્યવહારુ અને ગેર વ્યાજબી હોવાનો વિરોધના સુર ઉઠી રહ્યા છે.


આ માટેનું ફરમાન આવતાની સાથે ગ્રાહક પંચમાં કે ફોરમમાં સામાન્ય ગ્રાહક ફરિયાદ કરે તો કેસ દાખલ કરવામાં આવતો હોય છે ઈ ફાઇલિંગ કે નવી પદ્ધતિઓ ની કોઈ જાણકારી નથી તો, સામાન્ય ગ્રાહકો કે વકીલો અને કોમ્પ્યુટર સ્કેનર પ્રિન્ટર સહિતની સાધન સુવિધાઓ ઉપલબ્ધ નથી ઈ ફાઈલીગ ના કેસ દાખલ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે સરકારના ઉતાવળિયા નિર્ણય સામે વિરોધનો સુર ઉઠી રહ્યો છે.


કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ રાજ્યોમાં પહેલી એપ્રિલ 2023 થી રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચ અને તમામ રાજ્યો ગ્રાહક તકરાર નિવારણ પંચમાં આવતી ફરિયાદોનું ફરજિયાત પણ ઈ ફાઇલિંગ કરવા માટેના આદેશ બહાર પાડવામાં આવ્યા છે અને જરૂરી સુવિધા માળખાકીય બાબતો પૂરી પાડવાની હૈયા ધારણા પણ આપી છે. આમ છતાં સામાન્ય ફરિયાદી ગ્રાહકો વકીલો પક્ષકારો પર બિનજરૂરી આર્થિક બોજ અને હાલાકી વધવાની સંભાવના ના પગલે જુદી જુદી રીતે નારાજગીના સૂર વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application