જામનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને દહેજ ભૂખ્યા સાસરીયાઓનો ત્રાસ

  • February 01, 2023 07:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી પ્રેમલગ્ન કરનારી એક પરણીતાને નાઘુના ગામમાં રહેતા તેણીના સાસરીયાઓએ દહેજ ના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


જામનગરમાં કૃષ્ણનગરમાં રહેતી રીંકલબેન ધાર્મિકભાઈ ફળદુ નામની ૨૫ વર્ષની પરણીતા કે જેણે  એકાદ વર્ષ પહેલાં જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા ધાર્મિક હેમરાજભાઈ ફળદુ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી તે કરીયાવર લીધા વિના સાસરે ગઈ હતી. દરમ્યાન છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન તેણીના જેઠ, સાસુ, જેઠાણી વગેરે દહેજના કારણે તેમજ પ્રેમ લગ્ન બાબતે ત્રાસ ગુજારી મેણા ટોણા મારી ઘરમાંથી હાંકી કાઢી હતી, અને તેમાં તેના પતિએ પણ ત્રાસ આપ્યો હતો.





 દરમિયાન તેણીએ પોતાના માવતરે આવી ગયા પછી જામનગરના મહિલા પોલીસ માથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે રીંકલબેનના પતિ ધાર્મિક હેમરાજભાઈ ફળદુ, સાસુ વનીતાબેન હેમરાજભાઈ ફળદુ, જેઠ ગોપાલભાઈ હેમરાજભાઈ ફળદુ, અને જેઠાણી મીનાબેન ગોપાલભાઈ ફળદુ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા તેમજ દહેજ ધારા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application