જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન
ગરમીમાં રાહત આપતી આ પ્રકારની નવતર પહેરને મુસાફરોએ આવકારી
જામનગર તા.09 એપ્રિલ, હાલ ગરમીના કારણે જિલ્લાના જામનગર એસ.ટી.ડેપો તથા અન્ય તાલુકા કક્ષાના બસ સ્ટેશન ખાતેથી આવાગમન કરતા મુસાફરોને રાહત મળે તેમજ કોઈ મુસાફરને લૂ ની અસર ન થાય તે હેતુથી એસ.ટી.વિભાગ જામનગરના વિભાગીય નિયામક શ્રી બી.સી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી. ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં એસ.ટી.વિભાગના કર્મચારીઓ તથા એસ.ટી. કેન્ટીનનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.અસહ્ય ગરમીમાં આ પ્રકારના આયોજન બદલ મુસાફરોએ પણ એસ.ટી. વિભાગની આ નવતર પહેલે આવકારી સંતોષ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લાના લોકોને લૂ થી રક્ષણ મળે અને તેઓ સલામત રહે તે માટે જિલ્લાના વિવિધ વિભાગોને સૂચના અપાઈ હતી જેના અનુસંધાને જામનગર એસ.ટી.વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુસાફરોને ગરમીથી રાહત આપતા છાસ વિતરણના નવતર કાર્યક્રમનું આયોજન ઘડી કાઢ્યું છે અને આગામી સમયમાં પણ આ કાર્યક્રમ શરૂ રખાશે તેમ જણાવ્યું છે.
0000000
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech