જામનગરના મહિલાએ પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો 

  • February 12, 2025 11:42 AM 

જામનગરના મહિલાએ પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો 

અંદાજે ૧૫૦૦ જેટલા ઇકો ફ્રેન્ડલી જ્યુટ બેગ્સ બનાવી સાધુ સંતોને અર્પણ કર્યા

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. ગુજરાત માંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભ મેળામાં પહોચ્યા છે. ત્યારે જામનગરમાં રહેતા નિધિબેન દવે અને તેમના પતિએ કુંભ મેળામાં પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી અનોખું સેવાકીય કાર્ય કર્યું છે. તેઓએ મહાકુંભમાં ૧૫૦૦ જેટલા જ્યુટ બેગ્સનું સાધુ સંતોને વિતરણ કર્યું હતું. જ્યુટ એટલે કે શણ માંથી બનાવેલી વસ્તુઓ જે ટકાઉ હોય છે અને સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે. 

જામનગરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમજ લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી બે દિવસીય મીલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. તે પૈકી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે નિધિબેન દવેને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. 
​​​​​​​

તેઓ જણાવે છે કે, હું જામનગરમાં ૭ વર્ષથી જ્યુટ માંથી વિવિધ વેરાયટીઓના બેગ્સ તેમજ માટીની વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરું છુ. મેં મારા પતિ અને પરિવાર સાથે જામનગરથી પ્રયાગરાજ મહાકુંભમાં પહોચી પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવાના હેતુથી ૧૫૦૦ જેટલા જ્યુટ બેગ બનાવ્યા હતા. અને ત્યાં સાધુ સંતોને તેનું વિતરણ કર્યું હતું. જેથી કરીને તેઓ આ ઇકો ફ્રેન્ડલી બેગમાં પોતાની વસ્તુઓ રાખી શકે અને લાંબાગાળા સુધી એક કરતા વધુ વખત તેનો ઉપયોગ કરી શકે. ઉલ્લેખનીય છે કે ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી અને પર્યાવરણ બચાવવાના ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા પણ અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application