ટીવી અભિનેત્રી દલજીત કૌર છેલ્લા કેટલાક સમયથી પોતાની અંગત જીવનને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા દલજીત તેના બીજા પતિનું ઘર છોડીને મુંબઈ આવી ગઈ હતી. દલજીતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકોને જાણ કરી હતી કે નિખિલ પટેલ સાથે લગ્ન જીવન બરાબર નથી ચાલી રહ્યું. તેણે તેના પતિ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો. આ બધાની વચ્ચે નિખિલ પટેલ તેની ગર્લફ્રેન્ડ સાથે જન્મદિવસ ઉજવવા મુંબઈ આવ્યો છે.
પત્ની દલજીત કૌરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે જન્મદિવસ મનાવવા મુંબઈ આવેલા નિખિલ પટેલ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે. અહેવાલ મુજબ, અભિનેત્રીએ 2 ઓગસ્ટે મુંબઈના આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 85 અને કલમ 316 (2) હેઠળ નિખિલ વિરુદ્ધ FIR નોંધાવી છે. કલમ 85 હેઠળ જો કોઈ મહિલા તેના પતિ અથવા સાસરિયાઓ દ્વારા ક્રૂરતાનો શિકાર બને છે તો તેને 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. કલમ 316 (2) છેતરપિંડી માટે સજાની જોગવાઈ કરે છે.
FIR દાખલ કર્યા બાદ દલજીતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. દલજીતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મુંબઈ પોલીસ અધિકારીઓ અને લેડી કોન્સ્ટેબલોનો આભાર માન્યો છે. દલજીત અને નિખિલ પટેલના આ બીજા લગ્ન હતા. આ લગ્ન પહેલા દલજીત ટીવી એક્ટર શાલીન ભનૌત સાથે પરિણીત સંબંધમાં હતા. વર્ષ 2015માં તેણે શાલિન ભનૌતથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. શાલીન અને દલજીતને એક પુત્ર પણ છે જે તેની માતા દલજીત સાથે રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech