દિલ્હીની કોર્ટે આપ નેતા સંજય સિંહની જામીન અરજી ફગાવી

  • December 22, 2023 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીની એક અદાલતે શુક્રવારે કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા સંજય સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી. વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે આ ચુકાદો આપ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે 12 ડિસેમ્બરે સિંહની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આથી આપના વરિષ્ઠ નેતા સંજય સિંહ જેલમાં જ ન્યૂ યર મનાવશે.
​​​​​​​

મહત્વનું છે કે ઈડીએ મની લોન્ડરિંગના આરોપમાં 4 ઓક્ટોબરે સંજય સિંહની ધરપકડ કરી હતી. ઈડીએ આરોપ મૂક્યો છે કે સિંહે હાલમાં નિષ્ક્રિય થઈ ગયેલી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેને કારણે કેટલાક દારૂ ઉત્પાદકો, જથ્થાબંધ વિક્રેતાઓ અને છૂટક વિક્રેતાઓને આર્થિક લાભ મળ્યો હતો. આ તરફ સંજય સિંહે આરોપોને નકારી કાઢયા હતા અને કહ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application