વિશ્વભરમાં ચાલી રહેલા સશક્ર સંઘર્ષેા સામાન્ય લોકોના જીવનને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. હાલમાં, વિશ્વમાં વિવિધ સ્થળોએ ૫૬ યુદ્ધો અને સંઘર્ષેા ચાલી રહ્યા છે અને આ વર્ષે લગભગ ૭૩.૩ કરોડ લોકો ભૂખમરાનો ભોગ બન્યા હોવાનો અંદાજ છે. જો સંઘર્ષની આ સ્થિતિમાં સુધારો નહીં થાય તો ભૂખમરાનું સંકટ વધુ વધી શકે છે.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલા બે મહત્વપૂર્ણ અહેવાલો (ડબલ્યુએફઓ રિપોર્ટ અને વલ્ર્ડ પીસ ઈન્ડેકસ રિપોર્ટ) એકસાથે વાંચીએ તો સ્પષ્ટ્ર થાય છે કે વિશ્વમાં જેમ જેમ સંઘર્ષના ક્ષેત્રો વધી રહ્યા છે, તેમ તેમ ભૂખમરાનો સામનો કરી રહેલા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. યુનાઈટેડ નેશન્સ વલ્ર્ડ ફડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએફઓ ) એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે ૨૦૨૩માં ૩૩ કરોડ લોકો ગંભીર ખાધ અસુરક્ષાનો સામનો કરી રહ્યા હતા. આ જ રિપોર્ટમાં ૨૦૨૪માં ભૂખમરાથી પીડિત લોકોની સંખ્યા વધીને ૭૩.૩ કરોડ થવાનો અંદાજ છે. એટલું જ નહીં, તાજેતરમાં જ યુએનએસસીએ વૈશ્વિક સ્તરે ભૂખમરા વધવાનું સૌથી મોટું કારણ વિશ્વભરમાં વધતા સંઘર્ષને દશર્વ્યિું હતું.
વિશ્વભરમાં વધતા સંઘર્ષો છતાં ભારતમાં ભૂખમરાની ગંભીર સ્થિતિ ઊભી થઈ શકી નથી. તેનું મુખ્ય કારણ માર્ચ 2020માં શરૂ થયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે. યોજના હેઠળ, 81.35 કરોડ લોકોને મફતમાં અનાજની નિશ્ચિત માત્રા આપવામાં આવી રહી છે. યોજના હેઠળ અંત્યોદય પરિવારોને 35 કિલો ચોખા, 35 કિલો ઘઉંની વિનામૂલ્યે સહાય આપવામાં આવે છે. આ યોજના કોવિડ દરમિયાન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ શરૂ કરવામાં આવી હતી.
વિશ્વની 10માંથી 8 સૌથી ગંભીર ખાદ્ય કટોકટી યુદ્ધને કારણે થઈ છે. વિશ્વમાં ભૂખમરાથી પીડિત મોટાભાગના લોકો, 65 ટકા, સંઘર્ષ વિસ્તારોમાં રહે છે. ડબલ્યુટીઓ અનુસાર, યુદ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરે છે અને કૃષિ અને વેપાર માટે પરિસ્થિતિઓને પ્રતિકૂળ બનાવે છે. મોટી સંખ્યામાં લોકોને તેમની જમીન અને ધંધામાંથી સ્થળાંતરિત થવું પડ્યું છે. વર્ષ 2024 ના વિશ્વ શાંતિ સૂચકાંકના અહેવાલ મુજબ, વિશ્વ બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી વધુ 56 સંઘર્ષોનો સામનો કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech