ગો સંસદ : માઘ મેળામાં સંત સમાજે રજુ કરી દરખાસ્ત, સર્વાનુમતે પ્રસ્તાવ થયો પાસ, શંકરાચાર્યોએ પણ લગાવી મોહર
ગાયને રાષ્ટ્ર માતાનો દરજજો આપવા માટે પ્રયાગરાજમાં યોજાયેલા માઘ મેળામાં શંકરાચાર્યની શિવિરમાં ગો સંસદનું આયોજન થયું હતું. જેમાં સંતોએ બધાની સન્મતિથી નિર્ણય લીધો હતો કે હવેથી ગાયને ‘રામા’ કહેવામાં આવશે. શિવિરમાં જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રસ્તાવ આપતા કહ્યું હતું કે ‘રા’નો અભિપ્રાય રાષ્ટ્ર અને માતાનો અભિપ્રાય માતા સાથે થશે. એવામાં આજથી સંત સમાજ ગાયને રામા કહીને સંબોધિત કરશે, આ ઉપરાંત તેની સાથે જ શિવિરમાં ૨૧ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે અને તે પૂર્ણ ન થવા પર ૧૭ ફેબ્રુઆરીએ મોટુ આંદોલન કરવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેની સાથે જ ગો સંસદમાં ગૌભક્તોના સહયોગથી 'રાષ્ટ્રીય રામા ગો ભક્તાયોગ'ની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભક્ત આયોગ ડીએનએ તપાસથી દેશમાં બધી ગાયોની ઓળખ કરી તેમનું રજીસ્ટ્રેશન કરાવશે. નવ સંવત્સરથી ગાય માટે પ્રોટોકોલ જાહેર કરવામાં આવશે. ગો સંસદ દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવશે. ગાયને પશુ મંત્રાલયથી દૂર કરીને કેન્દ્ર સરકાર ગો મંત્રાલયનું ગઠન કરશે. ગાય અને ગોવંશને સંવિધાનમાં રાજ્ય સૂચીથી હટાવીને કેન્દ્રીય સુચીમાં મુકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવશે.
આ ઉપરાંત ગોમાંસનું સેવન કરનારનો બહિષ્કાર કરવામાં આવશે. લોકો તેને વોટ આપે જે પોતાના ઘોષણા પત્રની સાથે એ શપથ પત્ર આપે કે સરકાર બનતા જ તે પહેલો નિર્ણય ગાયને સન્માન આપશે. ગાયને રાષ્ટ્ર માતાનું સન્માન મળતા જ સૌથી પહેલા સંત સમાજ ગાયનું દૂધ લઈને અયોધ્યા જશે અને ત્યાં રામલલાને ભોગ પ્રસાદ આપશે. સરકાર પાસે અનુરોધ કર્યો છે કે કબજા વાળી જમીન મુક્ત કરાવીને ગોચરે આપવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech