રેખાબેન વિનોદભાઇ રૂપાપરા કે જેઓ જામનગર મુકામે રહેછે. અને રેખાબેનના પતિ વિનોદભાઇ રૂપાપરા દ્વારા રામ સીટી યુનિયન ફાયનાન્સ લી. પાસેથી હોમલોન મેળવવામાં આવેલ અનેતે અન્વ શ્રી રામ ઇન્સ્યોરન્સ કંપની લી. પાસે રક્ષણ મળી શકે તે માટે વીમો મેળવવામાં આવેલ અને વીમો આપતી વખત વીમા કંપની દ્વારા રેખાબેનના પતિ વિનોદભાઇ રૂપાપરાને જણાવાવમાં આવેલ કે આપનું કોઇ પણ પ્રકારે મૃત્યુથશેતો લોન ભરવી નહિં પડે.
જેથી રેખાબેનના પતિ વિનોદભાઇ રૂપાપરા દ્વારા વીમો લેવામં આવેલ. જે વિમાનો સમયગાળો અસ્તિત્વમાં હોય તે દરમ્યાન રેખાબેનના પતિ વિનોદભાઇ રૂપાપરાની તબિયત બગડતા તેમને હોસિપટલમાં દાખલ કરવામાં આવેલ અને સારવાર દરમ્યાન વિનોદભાઇનું અવસાન થયુ જેથી રેખાબેન દ્વારા શ્રી રામ ઇન્સ્યો. કંપની. લી. પાસે રૂ. વીસ લાખનો કલેઇમ રજુ કરવામાં આવેલ અને કલેઇમની રકબમની માંગણી કરવામાં આવેલ અને જે રકમ લોન ખાતે ભરપાઇ કરી બાકી રકમ ચુકવી આપતા જણાવેલ.
પરંતુ શ્રી રામ ઇન્સ્યો. કંપની લી. દ્વારા રેખાબેનનો કલેઇમ રદ કરવામાં આવેલ અને જણાવેલ કે વિનોદભાઇને કેન્સરની અગાઉની બીમારી હતી જેથી રકમ ચુકવવાનો ઇન્કાર કરવામાં આવેલ. જેથી નારાજ થઇ ગુજ. વિનોદભાઇના વારસો રેખાબેન વિનોદભાઇ રૂપાપરા વિગેરે દ્વારા તેમના વકીલમ મારફત ગ્રાહક સુરક્ષા કમીશન જામનગરમાં શ્રી રામ ઇન્સ્યોરન્સ કંપની લી. તથા શ્રી રામ સીટી યુનિયન ફાયનાન્સ લી. વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલ જેમાં શ્રી રામ ઇન્સ્યોરન્સ કંપની લી.ના વકીલ દ્વારા રેખાબેનના પતિનેઅગાઉ કેન્સરની બીમારી હોય પોલીસી મુજબ સમાવેશ થતો ન હોય તેવું જણાવી ફરીયાદ રદ કરવાનું જણાવેલ જેથી ફરીયાદી રેખાબેનના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને નેશનલ કમીશન, સ્ટેટકમીશનના ચુકાદા રજુ કરવામાં આવેલ અને કાયદાની જોરદાર છણાવટ કરી અનેપુરાવા દ્વારા પુરવાર કરી આપેલ કે ફરીયાદીના પતિને અગાઉ કોઇ બીમારી ન હતી.
જે ચુકાદા તેમજ પુરાવાઓ તથા દલીલો ઘ્યાને લઇ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ ડી.એ. જાડેજા તથા સભ્ય એચ.એસ. દવે સભ્ય જે.એચ. મકવાણા દ્વારા ફરીયાદીની ફરીયાદી મંજુર કરવામાં આવેલ અને ફરીયાદીના કલેઇમની રકમ રૂ. ૨૦ લાખ ૭ ટકાના વ્યાજ સહિત તથા માનસિક દુ:ખ ત્રાસના તથા ફરીયાદ ખર્ચની રકમ મળી રૂ. ૭૦૦૦ વળતર પેટે સામાવાળા શ્રી રામ ઇન્સ્યોરન્સ કંપની લી.એ ફરીયાદી રેખાબેનની વિમાની રકમ રૂા. વીસ લાખમાંથી લોનની રકમ શ્રી રામ ઇન્સ્યો. કંપની લી.એ બે:કને ચુકવવાનો તથા બાકી વીમાની રકમ રેખાબેન વિગેરેને ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે. જેથી સત્યનો વિજય થયેલ અને ફરીયાદીએ લોનની રકમ ભરપાઇ કરવાની જરુર નહીં રહે. ફરીયાદી તરફે વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMજેતપુર પાસે છકડો રીક્ષામાં દેશી દારૂ ના જથ્થા સાથે એક પકડાયો
September 20, 2024 12:14 PMગોંડલમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરેણા-રોકડ સહિત 46 હજારની ચોરી
September 20, 2024 12:13 PMગોંડલમાં પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો ઝેર પી આપઘાત
September 20, 2024 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech