જુના રેલ્વે સ્ટેશન પાસેનું બાંધકામ પ્રકરણ કોર્ટમાં: જામ્યુકોને નોટીસ

  • January 05, 2023 10:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકા દ્વારા જુના રેલ્વે સ્ટેશન પાસે મંજુરી વિના બંધાયેલી ૧૦ દુકાનોના પ્રશ્ર્ને કોર્પોરેશને નોટીસ આપ્યા બાદ હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને તા.૬ જાન્યુઆરીના રોજ આ અંગે સુનાવણી થશે. 


જુના રેલ્વે સાઇડીંગવાળી જગ્યામાં ૨૦૨૦માં ૧૫ દુકાનોનું બાંધકામ થયું હતું, ત્યારબાદ મંજુરી ન હોવાના કારણે એસ્ટેટ શાખાએ આ તમામ દુકાનો તોડી પાડી હતી, એ જ સ્થળ પર ૨૦૨૨માં ફરીથી ૧૦ દુકાનોનું નિર્માણ થઇ રહ્યું છે એવી જાણ ટીપીઓ શાખાને થતાં આ અંગે નોટીસ આપવવામાં આવી હતી, દરમ્યાન વરસાદી પાણીના નિકાલમાં અવરોધના મુદે સ્થાનિક અદાલતમાં એક આસામી દ્વારા દાવો દાખલ કરવામાં આવતા કોર્ટે હવે કોર્પોરેશનને આ મામલે નોટીસ પાઠવી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application