જયરામ રમેશ અને કે.સી. વેણુગોપાલે રીલીઝ કરેલા પેમ્ફલેટમાં લીંક અપ થઇ ખોટી વેબસાઈટ ; હાલ સુધીમાં સૌથી વધુ દાન તેલંગાણા દ્વારા અપાયું
કોંગ્રેસ પાર્ટીએ તેના 'ડોનેટ ફોર દેશ' અભિયાન માટે જાહેર કરેલા પેમ્ફલેટમાં ખોટા કયુઆર કોડને કારણે લાખો રૂપિયા ગુમાવ્યા છે. પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા પેમ્ફલેટ પર એક અલગ વેબસાઇટ અને કયુઆર કોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે નકલી છે. જેના કારણે પાર્ટીના ખાતામાં જે ડોનેશન આવવાનું હતું તે નકલી ખાતામાં ગયું છે.
ગતરોજ કોંગ્રેસ પાર્ટીના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ઓર્ગેનાઈઝેશન જનરલ સેક્રેટરી વેણુગોપાલ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને રાહુલ ગાંધીની મુલાકાત અને પાર્ટીના દાન અભિયાન પર એક પેમ્ફલેટ બહાર પાડ્યું. આ પેમ્ફલેટ પર વેબસાઇટ અને કયુઆર કોડ ખોટી રીતે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. દાન પાર્ટીના ખાતામાં આવવું જોઈતું હતું તે બીજાના ખાતામાં ગયું છે.
કોંગ્રેસ દ્વારા જારી કરાયેલ પેમ્ફલેટમાં જે વેબસાઇટ કયુઆર કોડ સાથે લિંક કરવામાં આવી છે તે ફેક લિંક છે. કોંગ્રેસને દાન આપવા માટેની મૂળ લિંક DonateINC.in છે જ્યારે પેમ્ફલેટ પર DonateINC.co.in. લખવામાં આવ્યું છે, આ કે ખોટી વેબસાઈટ લિંકને કારણે કોંગ્રેસને આપવામાં આવેલ લાખો રૂપિયાનું દાન બુધવારે ખોટા ખાતામાં પહોંચી ગયું હતું.
કોંગ્રેસને દાન આપનારા રાજ્યોમાં ગુજરાત ટોપ ૧૦માં પણ નહી !
કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલા ઓનલાઈન ડોનેશન એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. તેને 'ડોનેટ ફોર દેશ' નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન ૨૮મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસ પર શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ દાન તેલંગાણા દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારબાદ હરિયાણા અને મહારાષ્ટ્ર છે. કોંગ્રેસની વેબસાઈટ પર નોંધાયેલી માહિતી અનુસાર દાનની બાબતમાં રાજસ્થાન ચોથા, ઉત્તર પ્રદેશ પાંચમા અને મધ્યપ્રદેશ છઠ્ઠા ક્રમે છે. દિલ્હી સાતમા નંબરે અને પંજાબ આઠમા નંબરે છે. આ પછી કર્ણાટક અને બિહાર આવે છે. કોંગ્રેસને દાન આપનારા આ ટોપ ૧૦ રાજ્યોમાં ગુજરાતનું નામ શામેલ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech