જામનગર શહેરમાં રાજાશાહી વખતથી વિવિધ સ્થળોએ પ્રતિમા મુકવામાં આવી છે ત્યારે કોર્પોરેશન દ્વારા તેની યોગ્ય સફાઇ કરવામાં આવતી ન હોવાની રાવ પણ ઉઠવા પામી છે. રણમલ તળાવની મઘ્યમાં આવેલ રાજવી પરિવારના જામરાવલની પ્રતિમાને તાત્કાલિક સાફ કરાવવાની જરૂર છે જયારે જયારે સતાધીશો દ્વારા મહાનુભાવોની પ્રતિભા વિવિધ સ્થળોએ મુકવામાં આવેે છે ત્યારે શરુઆતમાં તો સફાઇ થઇ જતી હોય છે પરંતુ જેમ જેમ સમય જાય છે ત્યારબાદ આ પ્રતિમાઓની કોઇ જાળવણી થતી ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. રણમલ તળાવની મઘ્યમાં નજારો જોવા માટે બહારગામથી હજારો લોકો આવે છે. ત્યારે આવા સમયે મઘ્યમાં મુકાયેલી પ્રતિમા ઉપર ચરક સહિતની ગંદકીઓ જોવા મળી છે. ત્યારે કોર્પોરેશનનાં સતાધીશોએ તાત્કાલિક અસરથી આ પ્રતિમાને પણ સાફ સફાઇ કરાવવાની જરૂર છે તેમ લોકોમાં બોલાઇ રહ્યું છે.