જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. નેતાઓના વિવાદિત નિવેદનોના પગલે ચુંટણી પંચ પણ કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, ગુજરાત વિધાનાસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ચુટંણી પંચમાં ફરિયાદ કરી છે.
આજરોજ કોંગ્રેસ દ્વારા શંકર ચૌધરીએ આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે, વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરીએ ભાજપાના ઉમેદવારની તરફેણમાં સભા કરી હતી. તેમણે બનાસકાંઠાના ભાજપાના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પ્રચાર કરી શક્તા નથી. અધ્યક્ષ નિયુક્ત થયાની સાથે જ તેઓ કોઇ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. આ તેથી વીડિયો પુરાવાને આધારે કોંગ્રેસ પ્રવક્તાએ ફરીયાદ કરી છે.
સંસદીય પ્રણાલીઓ મુજબ વિધાનસભાના અધ્યક્ષ કોઇ પક્ષના ના હોઈ શકે. અધ્યક્ષ બન્યા બાદ પક્ષ સાથે જોડાયેલા નથી હોતા. શંકર ચૌધરીએ પણ અધ્યક્ષ બન્યા બાદ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧ પ્રકરણ-૯, નો ભંગ કરેલ છે તે અંગે તાત્કાલીક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વીડીયો પુરાવા સાથે ફરીયાદ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech