લાલપુરમાં પવિત્ર પર્વાદીરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ

  • September 04, 2024 07:09 PM 

લાલપુરમાં પવિત્ર પર્વાદીરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ

જામનગર જિલ્લાના લાલપુરમાં જૈન નો પવિત્ર પર્વધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. જેમાં તારીખ 31 થી 7 સુધી ચાલનારા પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. ભગવાન મહાવીરના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સતત અને ખાસ કરીને પર્યુષણ પર્વમાં સદાચારના માર્ગ પર ચાલવું જોઈએ આ પર્વમાં જપ, તપ,દાન અને ક્ષમા યાચના કરીને પોતાના જીવનમાં થયેલા પાપ માંથી મુક્ત થવાનું પર્વ ગણવામાં આવે છે. 

શહેરના મેન બજાર ખાતે આવેલા જૈન દેરાસરમાં પૂજા, આંગી અને પ્રતિક્રમણ સહિતના જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. અને ભગવાનની ઝાંખી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં શ્રદ્ધાભેર જૈન પરિવારો સામેલ થઈ રહ્યા છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application