જામનગર મનપાદ્વારા શહેરની પ્રતિમાઓની સફાઈ કામગીરી હાથ ધરાઈ

  • April 03, 2023 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સમયાંતરે શહેરમાં આવેલી વિવિધ પ્રતિમાઓની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત તાજેતરમાં શહેરની વિવિધ પ્રતિમાઓની સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી.


જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવા ના માર્ગદર્શન મુજબ સમગ્ર શહેર સ્વચ્છ સુંદર રહે તે માટે હંમેશા સોલીડ વેસ્ટ વિભાગ પ્રયત્નશીલ રહે છે જામનગર મનપા દ્વારા શહેરમાં આવેલી વિવિધ પ્રતિમાઓની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારો 49 દિગ્વિજય પ્લોટ,  લાલ બંગલા સર્કલ, હવાઈ ચોક સહિતના વિસ્તારોમાં મૂકવામાં આવેલી દેશને સ્વાતંત્ર્ય અપાવનાર વીર શહીદોની પ્રતિમાઓ ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application