એક વેબસાઇટ સાથે વાતચીત દરમિયાન આકાશ ચોપરા જણાવ્યું હતું કે 2019ના ન્ય્ઝીલેન્ડ સામેના વલ્ડકપમાં આ એક પ્રકારની મજાક હતી કે તમે ચોથા નંબર પર એક ડઝનથી વધારે ખેલાડી વર્લ્ડકપમાં ટ્રાય કર્યા હોય. તેમાં કોઈએ તે સ્થાન પર સૌથી વધારે મેચ રમ્યા ન હતા. મારો કહેવાનો અર્થ એ છે કે 14 ખેલાડીઓએ ઓડિશન આપ્યું હતું જેમાંથી એકને પણ પુરી 20 વખત રમવા દેવામાં આવ્યા નથી.
આપણે અહીં પાંચ વર્ષના સમયગાળા અંગે વાતચીત કરી રહ્યા છીએ અને એક પોઝિશન માટે સતત ફેરફાર કરી રહ્યા હતા. આ કારણે 2019નો વર્લ્ડકપ આપણે હાર્યા હતા. શરૂઆતના દિવસોમાં વિજય શંકરને રાખવામાં નહીં આવ્યા. પછી માત્ર રાહુલની વિશે વિચાર કર્યો અને પછી ઋષભ પંત પાસે ગયા. આ એ સમસ્યા છે જે આપણે પોતે ઉપસ્થિત કરી હતી. જે બાબતમાં આપણે સારું કામ કરી શક્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે આકાશે ટેસ્ટ કેરિયર પર વાત કરે તો તેને ભારત માટે 2003-2004માં 10 ટેસ્ટ રમ્યા હતા. આ એ સમય હતો કે જ્યારે ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેવા સાથે ઓપનિંગ કરવા માટે એક સારા ખેલાડીની શોધ કરવામાં આવી રહી હતી. ચોપરાએ 10 ટેસ્ટ મેચમાં 23મી સરેરાશથી 438 રન બનાવ્યા હતા. જેમાં માત્ર બે મારી હતી. તેમજ તેમનો હાઈએસ્ટ સ્કોર 60 રન રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech