કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ આવતીકાલથી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

  • January 06, 2023 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંત્રી સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળામાં હાજરી આપશે તેમજ વિવિધ ગામડાઓમાં લોકસંપર્ક યોજશે

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલથી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે છે. 


મંત્રી આવતીકાલ તા.7 જાન્યુઆરીના રોજ સવારે 8:00 કલાકે ધ્રોલ ઓફિસે લોકસંપર્ક યોજશે. ત્યારબાદ સવારે 10:00 કલાકે તેઓ કસ્તૂરબા વિકાસગૃહ જામનગરમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળામાં હાજરી આપશે. સવારે 11:30 કલાકે ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેન્કની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં હાજરી આપશે. બપોરે 12:30 કલાકથી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. સાંજે 5 વાગ્યાથી મંત્રીશ્રી ખીજડીયા, જાંબુદ અને શેખપાટ ખાતે લોકસંપર્ક યોજી સન્માન કાર્યક્રમોમાં હાજરી આપશે. રાત્રે 10:00 કલાકે તેઓ રણજીતનગર પટેલ સમાજ ખાતે આયોજિત સાંઈરામ દવેના ભવ્ય લોકડાયરાના કાર્યક્રમમાં હાજરી આપશે. 
​​​​​​​


તા.8 જાન્યુઆરીના રોજ મંત્રીશ્રી સાંજે 4:00 કલાકે જામનગર રણજીતનગર પટેલ સમાજમાં આયોજિત લેઉઆ પટેલ સેવા સમાજ જ્ઞાતિ સમૂહભોજન કાર્યક્રમમાં હાજરી આપશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application