મોદી અને ઇજિપ્તના રાષ્ટ્ર્રપતિ વચ્ચે આજે દ્રિપક્ષીય બેઠક, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે સમજૂતી

  • January 25, 2023 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અબ્દેલ ફત્તાહ અલ–સીસી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ છે: બેઠક પહેલા રાષ્ટ્ર્રપતિ ભવન ખાતે પરંપરાગત સ્વાગત થશે



ઇજિપ્તના રાષ્ટ્ર્રપતિ અબ્દેલ ફત્તાહ અલ–સીસી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ ગણતત્રં દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદીએ ઇજિના રાષ્ટ્ર્રપતિનું ભારત આગમન પર ઉષ્માભયુ સ્વાગત કયુ છે. પીએમ મોદીએ પણ આજે તેમની સાથે થનારી બેઠક અંગે ટિટ કરીને ઉત્સાહ દર્શાવ્યો હતો.



પીએમ મોદીએ ટિટમાં લખ્યું છે કે રાષ્ટ્ર્રપતિ અબ્દેલ ફત્તાહ અલ–સીસીનું ભારતમાં ઉષ્માભયુ સ્વાગત છે. અમારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે તમારી ભારતની ઐતિહાસિક મુલાકાત તમામ ભારતીયો માટે ખૂબ જ આનંદની વાત છે. આવતીકાલે અમે આતુરતાથી ચર્ચા કરીશું.


પીએમ મોદી સાથે વાતચીત પહેલા આજે રાષ્ટ્ર્રપતિ ભવનમાં સીસીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે. વિદેશ મંત્રી એસ જયશંકર પણ સીસી સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે શનિવારે તેમની મુલાકાત પર પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે રાષ્ટ્ર્રપતિ સિસીની આગામી મુલાકાતથી ભારત અને ઇજિ વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત અને ગાઢ થવાની અપેક્ષા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application