બેડેશ્વરમાં બારદાનના ગોદામમાં આગથી દોડધામ

  • February 17, 2023 07:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા એક ખાલી બારદાનના ગોદામમાં આજે વહેલી સવારે અકસ્માતે આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમેં પાણીના ચાર જેટલા ટેન્કરની મદદ થી એકાદ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.



 આગના બનાવની વિગત એવી છે કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સંજય ઓઇલ મીલની પાછળ આવેલા અરવિંદભાઈ હીરજીભાઈ ગોરી નામના વેપારીના ગોડાઉનમાં ખાલી બારદાનનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે, જેમાં વહેલી સવારે અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી, અને જોત જોતામાં ખાલી બારદાનનો મોટો જથ્થો સળગવા લાગ્યો હતો.


 આગના આ બનાવ અંગે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા ને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સતત એકાદ કલાકની જહેમત પછી પાણીના ચાર ટેન્કરોનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી. જે આગ ના કારણે બારદાનનો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application