બાંગ્લાદેશમાં હિંસા અને રાજકીય અરાજકતા વચ્ચે ત્યાંના આતંકવાદીઓ આ તકનો ફાયદો ઉઠાવવા માંગે છે. સિક્રેટ એજન્સીના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશના કટ્ટરપંથી જૂથો ભીડની મદદથી ભારતમાં ઘૂસણખોરી કરવા માગે છે. આ અહેવાલો મળ્યા બાદ બીએસએફને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
વાસ્તવમાં, બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને જોતા, ઘણા બાંગ્લાદેશી નાગરિકો ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી ભારત આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘૂસણખોરીના આ પ્રયાસ વચ્ચે કટ્ટરપંથી જૂથો ભીડની મદદથી ભારતમાં ઘૂસી શકે છે. જેના કારણે બોર્ડર પર બીએસએફને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
BSFએ સરહદ પર સતર્કતા વધારી
સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે, પ્રતિબંધિત ઈસ્લામિક આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT)ના આતંકવાદીઓ અને અન્ય ગુનેગારો ત્યાંની જેલોમાંથી ભાગી ગયા છે. આ આતંકવાદીઓ ઘૂસણખોરી કરી શકે છે, તેથી વધારાની તકેદારી રાખવી જોઈએ.
યુનુસ આજે બાંગ્લાદેશની કમાન સંભાળશે
જણાવી દઈએ કે, શેખ હસીનાએ રાજીનામું આપીને ભારત આવ્યા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર આજે (8 ઓગસ્ટ) શપથ લેવા જઈ રહી છે. યુનુસ વચગાળાની સરકારનું નેતૃત્વ સંભાળવા માટે પેરિસથી આજે ઢાકા પરત ફરી રહ્યા છે.
શેખ હસીનાએ પીએમ પદ પરથી આપી દીધું રાજીનામું
દેશમાં ચાલી રહેલી રાજકીય અશાંતિ અને વિરોધ વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ વચગાળાની સરકારની રચના કરવામાં આવી રહી છે. ગ્રામીણ બેંકના સ્થાપક અને પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા યુનુસ વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે. નોંધનીય છે કે, બાંગ્લાદેશની કોર્ટે પણ ચાર્જ સંભાળ્યાના એક દિવસ પહેલા જ શ્રમ કાયદાના ઉલ્લંઘનના કેસમાં યુનુસની અગાઉની સજાને રદ કરી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર જિલ્લાના ૬૬ લોકોના નેત્રમણીના ઓપરેશન વિનામુલ્યે કરી અપાયા
May 15, 2025 02:27 PMલોહાણા સમાજના વિદ્યાર્થીઓને અપાયું કારકિર્દીલક્ષી માર્ગદર્શન
May 15, 2025 02:24 PMવેકેશન કરવા વતનમાં ગયેલી 11 વર્ષની તરુણીનું વીજશોકથી મોત
May 15, 2025 02:23 PMજામનગર-મુંબઇ દૈનિક ફલાઇટનું પુન: આવાગમન શરૂ, મુસાફરોમાં હાશકારો
May 15, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech