ભાવનગરના ચકચારી ડમીકાંડ કૌભાંડમાં પકડાયેલ ૬ આરોપીઓનાં ચાર્જશીટ બાદ જામીન અરજી નામંજુર

  • August 08, 2023 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ચોથા એડી.સેશન્સ જજ પ્રજાપતિએ જીલ્લા સરકારી વકીલ મનોજભાઇ જોષીની દલીલો ગ્રાહય રાખી


ચકચારી ડમીકાંડમાં સંડોવાયેલ એક યુવતી સહિત પાંચ આરોપીઓએ ચાર્જશીટ બાદ જામીન ઉપર મુક્ત થવા ભાવનગરનાં ચોથા એડી.સેશન્સ જજ પ્રજાપતિની અદાલતમાંજામીન અરજી કરી હતી જેની સામે જીલ્લા સરકારી વકીલ મનોજભાઇ જોષીએ અસરકારક દલીલો, આધાર- પુરાવા, વિગેરે કોર્ટમાં રજુ કરતા અદાલતે સરકારી વકીલની દલીલો ગ્રાહય રાખી ૬ આરોપીઓના જામીન નામંજુર કર્યા હતા.


ભાવનગર શહેરમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ ડમીકાંડના કૌભાડમાં પકડાયેલા પૈકી આરોપીઓ (૧) પ્રતિપાલસિંહ જયુભા ગોહિલ (૨) દેવાંગ યોગેશભાઇ રામાનુજ (૩) રમણીકભાઇ મથુરામભાઇ જાની, (૪) પ્રવિણભાઇ અરજણભાઇ સોલંકી, (૫) પંકજભાઇ પ્રેમજીભાઇ ધોરીયા, (૬) જીજ્ઞાબેન ડો/ઓ. જગદીશભાઇ ધાંધલ્યાનાઓ એ તપાસ પુરી થઇ ચાર્જશીટ થઇ ગયેલ છે અને કેસ કમીટ થયેલ હોવાથી રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવા માટે અરજીઓ કરતા તમામ ઉપરોક્ત આરોપીઓની જામીન એડી. સેશન્સ જજ પી.આઇ.પ્રજાપતિ દ્વારા જીલ્લા સરકારી વકીલ મનોજભાઇ જોષીની ગંભીર પ્રકારનો ગુન્હો છે 


સમાજમાં આ ગુન્હાની બહુ જ મોટી અસર પડેલ છે. ચાર્જશીટ રજુ થયેલ છે તે માત્ર થી જામીન મંજુર ન થાય પરંતુ ગુન્હાની ગંભીરતાને પણ ધ્યાને લેવી જોઇએ વિગેરે દલીલો ધ્યાને લઇ જામીન અરજીઓ નામંજુર કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application