વરસાદની ઋતુમાં અનેક રોગોનો ખતરો વધી જાય છે. આ ઋતુમાં સ્વચ્છતા જાળવવા ઉપરાંત આહારમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. ખોરાંક લેતી વખતે કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ. આયુર્વેદ અનુસાર, વરસાદ દરમિયાન શરીરમાં વાત વધે છે અને આ મહિનામાં પિત્ત જમા થવા લાગે છે. જેના કારણે અનેક બીમારીઓ વધવા લાગે છે. મોસમી રોગો પણ સરળતાથી અસર કરે છે. તેથી ભોજનમાં અમુક વસ્તુઓનું સેવન બિલકુલ ન કરો.
વરસાદના દિવસોમાં લીલા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. આ સિઝનમાં લીલા શાકભાજી દૂષિત પાણી અને રસાયણોથી પ્રભાવિત થવા લાગે છે. આવા જંતુઓ જે દેખાતા પણ નથી, લીલા શાકભાજી પર હુમલો કરે છે અને પાંદડાવાળા શાકભાજીને ચેપ લગાડે છે. તેથી, પાલક, આમળાં અથવા અન્ય પાંદડાવાળા શાકભાજી જેવા ગ્રીન્સનું સેવન ન કરો.
વરસાદના દિવસોમાં નોન-વેજ ખાવાનું પણ ટાળવું જોઈએ. આ સિઝનમાં કીટાણુઓનું પ્રજનન વધે છે જેના કારણે નોન વેજ ખાવાથી ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. નોન-વેજ પચવામાં પણ મુશ્કેલ થઈ જાય છે, જેના કારણે ગેસ અને અપચો જેવી સમસ્યા પણ થઈ શકે છે. તેથી નોન-વેજ ખાવાનું ટાળવું જોઈએ.
કહેવાય છે કે વરસાદ પછી દહીંનું સેવન ન કરવું જોઈએ. આ સિઝનમાં દહીંમાં સારા બેક્ટેરિયાની સાથે ખરાબ બેક્ટેરિયા પણ વધે છે. તેનાથી પેટમાં ખરાબ બેક્ટેરિયા વધી શકે છે અને તમને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને ખાટુ દહીં બિલકુલ ન ખાઓ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech