અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા, કોંગ્રેસ પર કાઢ્યો બળાપો

  • February 13, 2024 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ આજે BJPમાં જોડાયા છે. જો કે આ સમય દરમિયાન તેની પહેલી જ ઈચ્છા અધૂરી રહી. સૂત્રો મુજબ અશોક ચવ્હાણ દિલ્હીમાં ભાજપમાં જોડાવા માંગતા હતા અને આ દરમિયાન અમિત શાહ તેમની સાથે હાજર હોવા જોઈએ, પરંતુ પાર્ટી હાઈકમાન્ડે તેમને અમિત શાહની હાજરી વિના મુંબઈમાં ભાજપમાં જોડાવવાની ફરજ પાડી હતી.


અશોક ચવ્હાણને મુંબઈમાં ભાજપ કાર્યાલય ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય પક્ષના વડા ચંદ્રશેખર બાવનકુલની હાજરીમાં પક્ષનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. આ પહેલા અશોક ચવ્હાણે સોમવારે અચાનક કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે વિધાનસભામાંથી પણ રાજીનામું આપી દીધું હતું. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જોકે તેણે આ અંગે કંઈ સ્પષ્ટ કર્યું નથી. તેણે કહ્યું હતું કે સમય આવશે ત્યારે તે પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવશે.


સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ચવ્હાણ આવતીકાલે રાજ્યસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. ભારતીય જનતા પાર્ટી તેમને મહારાષ્ટ્રમાંથી જ રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી રહી છે. નોમિનેશનની તારીખ નજીક આવી રહી હોવાથી તેમને ઉતાવળે ભાજપનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. અશોક ચવ્હાણે કોંગ્રેસ છોડવાના નિર્ણય પર કહ્યું, "કોંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય લેવો મારા માટે સરળ નહોતું. આ એક દિવસમાં લેવાયેલો નિર્ણય નથી. એ વાત સાચી છે કે કોંગ્રેસ પાર્ટી મને ઘણુ બધુ આપ્યું છે, તો પછી આ હકીકતને કોઈ નકારી શકે નહીં કે જ્યાં સુધી હું પાર્ટીમાં હતો ત્યાં સુધી મેં પણ પાર્ટી માટે ઘણું કર્યું છે. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ સારી રીતે જાણે છે કે મેં પાર્ટી માટે શું કર્યું છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application