જામનગરના કાશી વિશ્ર્વનાથ મંદિરનો આજે ૧૩૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ: અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • April 25, 2023 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગરના પ્રસિઘ્ધ એવા શ્રી કાશી વિશ્વનાથ મંદિરના ૧૩૦માં વર્ષમાં મંગલ પ્રવેશ દિન નિમિતે આજે ધ્વજારોહણ, રૂદ્રાભિષેક પૂજા, અન્નકોટ દર્શન, દીપમાળા દર્શન અને મહાઆરતીનું મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત  આજે સવારે  ૧૦.૩૦ કલાકે ઘ્વજારોહણ તથા ૧૧-૩૦ કલાકે રૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આજે સાંજે અન્નકોટ તેમજ દીપમાળા અને મહાઆરતી સાંજે ૭.૩૦ કલાકે યોજવામાં આવશે, જેનો સર્વે દર્શનાથીઓ-ભોળાનાથ ભકતોને લાભ લેવા શ્રી કાશી વિશ્ર્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application