જામજોધપુર ખાતે પશુ સારવાર અને નિદાન કેમ્પનુંં આયોજન કરવામાંં આવ્યુંં

  • January 30, 2024 02:42 PM 

જામજોધપુર ખાતે પશુ સારવાર અને નિદાન કેમ્પનુંં આયોજન કરવામાંં આવ્યુંં

રાજ્ય સરકારના માર્ગદર્શન તળે જામનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ અને ગૌ સેવા મંડળ દ્વારા જામજોધપુર ખાતે પશુ સારવાર કેમ્પનુંં આયોજન કરવામાંં આવ્યુંં હતુંં. સ્વ.રામકુંવરબેન ગોપાલભાઈ કતીરા પરિવારના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાંં જામજોધપુર ગૌશાળા ખાતે વિનામૂલ્યે પશુરોગ નિદાન સારવાર અને શસ્ત્ર ક્રિયા કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાંં મેડીસીન વિભાગમાં 28, સર્જરી વિભાગમાં 16, ગાયનેક વિભાગમાં 33, ડીવીંગમાં 400 તથા 112 લાભાર્થી પશુપાલકોના કેસ મળીને કુલ 842 જેટલા પશુઓની સારવાર કરવામાંં આવી હતી. કાર્યક્રમની શરુઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.  

આ સમગ્ર કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.તેજસ શુકલ, વેટરનરી ઓફીસર શ્રી ડો.ઈકબાલ ભટ્ટી, પશુપાલન વિભાગના સ્ટાફ ગણ, પાંજરાપોળના પ્રમુખ સી.એમ. વાછાણી, સંસ્થાના પ્રમુખ શ્રી કાન્તિભાઈ રામોલીયા, ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ કડીવાર, શ્રી દીલીપભાઈ કતીરા તેમજ ગૌ સેવા મંડળ કારોબારી સમિતીના સદસ્યશ્રીઓએ જહેમત ઉઠાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application