બોલિવૂડ એક્ટર-અભિનેત્રી અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપની અફવાઓ ફિલ્મી વર્તુળોમાં ચર્ચાનો વિષય છે. જેના કારણે ફેન્સ તેમના વિશે દરેક ક્ષણની અપડેટ જાણવા માંગે છે. એટલા માટે જ્યારે પણ અર્જુન અથવા મલાઈકા સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કરે છે, તે વાયરલ થાય છે અને દરેક જગ્યાએ તેની ચર્ચા થાય છે. આ બધાની વચ્ચે, મલાઈકાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જેને જોઈને ફેન્સએ તે પોસ્ટને તેમના બ્રેકઅપની અફવાઓ સાથે જોડવાનું શરૂ કર્યું છે.
અર્જુન કપૂર સાથેના બ્રેકઅપના સમાચાર વચ્ચે, બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ રવિવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. વ્હાઇટબોર્ડ પર એક સંદેશ લખાયેલો છે. આ પહેલા અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક મેસેજ શેર કર્યો હતો. તેના એક દિવસ પછી જ અભિનેત્રી આ સંદેશ પોસ્ટ કર્યો છે.
મલાઈકા પહેલા અર્જુન કપૂરે પણ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. અર્જુન કપૂરે પોતાના સંદેશમાં કહ્યું હતું કે, 'જીવનમાં આપણી પાસે બે વિકલ્પ હોય છે, એક આપણે આપણા ભૂતકાળના કેદી બની શકીએ છીએ અથવા ભવિષ્યમાં તકો શોધી શકીએ છીએ, તેના એક દિવસ બાદ મલાઈકાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. મલાઈકા અને અર્જુને સત્તાવાર રીતે વર્ષ 2018માં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. પરંતુ હવે તેમના અલગ થવાના સમાચાર આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech